મુંબઈ ભાજપ મહાસચિવ અમિત સાટમે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, પાલિકાના ભ્રષ્ટાચારની ‘આ’ તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવાની કરી માંગ..

by kalpana Verat
Mumbai Municipal Corporation corruption probe by SIT- ameet satam

News Continuous Bureau | Mumbai

‘કેગ’ એ નવેમ્બર ૨૦૧૯ થી ઓક્ટોબર ૨૦૨૨ સુધી મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ કામોમાં કોન્ટ્રાક્ટ આપતી વખતે ફંડની ગેરરીતિ, નિયમોના ઉલ્લંઘનના દોષી ઠેરવ્યા હોવાથી આ કેસોની તપાસ વિશેષ તપાસ સમિતિ અને પ્રાથમિક માહિતી અહેવાલ (એફઆઈઆર) દ્વારા થવી જોઈએ. મુંબઈ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધારાસભ્ય અમિત સાટમે આ મુજબની માંગણી કરેલ છે. આ સંબંધમાં અમે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર મોકલ્યો છે. તેવી માહિતી સાટમે ગુરુવારે પત્રકાર પરિષદમાં આપી હતી. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાદ્યે, મીડિયા વિભાગના વડા નવનાથ બન, રાજ્ય પ્રવક્તા ગણેશ હાકે ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય સાટમે જણાવ્યું હતું કે, ૧૯૯૭ થી જૂન ૨૦૨૨ સુધીના ૨૫ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાના વિવિધ કામોમાં ૩ લાખ કરોડથી વધુના ભ્રષ્ટાચારની આશંકા છે. આના અનુસંધાનમાં, નવેમ્બર ૨૦૧૯ થી ઓક્ટોબર ૨૦૨૨ સુધીના ૧૨,૦૦૦ કરોડથી વધુના કામોનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું. ૩ હજાર કરોડના કામો કોરોના સંબંધિત હતા. આ ઓડિટમાં કેગએ જાહેર ભંડોળનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ, અનેક કામોમાં સરકારી નિયમોનું વ્યાપક ઉલ્લંઘન જોવા મળ્યું હોવાનું જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: ભાજપે સાધ્યું નિશાન : “રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે, ત્યારે તેમના મગજને કંઈક થઈ જાય છે, તેમને ન તો અર્થવ્યવસ્થાનું જ્ઞાન છે કે ન તો રાજકારણનું”

નવેમ્બર ૨૦૧૯ થી જૂન ૨૦૨૨ વચ્ચે, મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડરો મંગાવ્યા વિના ૨૧૪ કરોડથી વધુના કામો ફાળવ્યા. ૬૪ કોન્ટ્રાક્ટરોને ૪ હજાર ૭૫૬ કરોડના કામો આપ્યા ત્યારે તેમની સાથે કોઈ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ન હતો. કોન્ટ્રાક્ટ ન આપવાના કારણે કોન્ટ્રાક્ટરો સામે મહાનગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરી શકતી નથી. ૩ હજાર ૩૫૬ કરોડના ૧૩ કામોમાં થર્ડ પાર્ટી ઓડિટરની નિમણૂક કરવામાં આવી ન હતી તેમ ધારાસભ્ય સાટમે જણાવ્યું હતું. કેગના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને એફઆઈઆર દાખલ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશો જેવા નિષ્પક્ષ વ્યક્તિઓનો સમાવેશ કરતી વિશેષ તપાસ સમિતિ (એસઆઈટી) નીમવી જોઈએ તેમ પણ ધારાસભ્ય અમિત સાટમે કહ્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More