Padmini Ekadashi 2023: આજે છે અધિક માસની અગિયારસ, બ્રહ્મ-ઈન્દ્ર યોગમાં ઉજવાશે પદ્મિની એકાદશી, જાણો પૂજા વિધિ અને ઉપાય..

અધિક માસના શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. તેનું પાલન કરવાથી યજ્ઞ, ઉપવાસ અને તપસ્યાનું ફળ મળે છે. જીવનનું સૌથી મોટું સંકટ ટળી જાય છે. આ વખતે પદ્મિની એકાદશી 29 જુલાઈ શનિવારના રોજ આવી રહી છે.

by Dr. Mayur Parikh
Padmini Ekadashi 2023: Date, Time, Puja Vidhi and Significance

News Continuous Bureau | Mumbai
Padmini Ekadashi 2023: આમ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ અધિક માસમાં એકાદશીઓની સંખ્યા વધી જાય છે. આ વખતે અધિક માસ(Adhik Maas) ને કારણે કુલ 26 એકાદશી હશે. અધિક માસના શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી (Padmini Ekadashi 2023)કહેવામાં આવે છે. તેનું પાલન કરવાથી યજ્ઞ, ઉપવાસ અને તપસ્યાનું ફળ મળે છે. જીવનનું સૌથી મોટું સંકટ ટળી જાય છે. આ વખતે પદ્મિની એકાદશી 29 જુલાઈ શનિવાર એટલે કે આજે છે.

પદ્મિની એકાદશીની તારીખ

હિંદુ કેલેન્ડર અનુસાર, શ્રાવણ અધિક માસ(Shravan Adhik Mass)ના શુક્લ પક્ષની એકાદશી તિથિ 28 જુલાઈના રોજ બપોરે 02:51 PM થી શરૂ થશે અને 29 જુલાઈના રોજ બપોરે 01:05 વાગ્યે સમાપ્ત થશે. આ સ્થિતિમાં પદ્મિની એકાદશી(Padmini Ekadashi 2023 vrat)નું વ્રત 29મી જુલાઈએ રાખવામાં આવશે.

પદ્મિની એકાદશી પર શુભ યોગ

આ વર્ષે પદ્મિની એકાદશી પર બે ખૂબ જ શુભ યોગ(Shubh Yog) બની રહ્યા છે. આ દિવસે બ્રહ્મા અને ઈન્દ્ર યોગ રહેશે. બ્રહ્મયોગ 28 જુલાઈના રોજ સવારે 11.56 વાગ્યાથી 29 જુલાઈના રોજ સવારે 09.34 વાગ્યા સુધી રહેશે. આ પછી ઈન્દ્ર યોગ 29 જુલાઈના રોજ સવારે 09.34 વાગ્યાથી 30 જુલાઈના રોજ સવારે 06.33 વાગ્યા સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  Porbandar-kochuveli train :બ્લોકના કારણે ટ્રેન પર થશે અસર, પોરબંદર-કોચુવેલી ટ્રેન ઓગસ્ટ મહિનામાં આ તારીખ દરમિયાન એર્નાકુલમ જંકશન સ્ટેશન સુધી જશે

પદ્મિની એકાદશીની પૂજા વિધિ

પદ્મિની એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને પૂજા કરવાનો સંકલ્પ લેવો. દિવસભર ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરો. રાત્રે ચાર પ્રહરની પૂજા કરો. પહેલા પહોરમાં નારિયેળથી ભગવાનની પૂજા કરો. બીજા પહોરમાં બીલીપત્રથી ભગવાનની પૂજા કરો. ત્રીજા પહોરમાં સીતાફળથી ભગવાનની પૂજા કરો. ચોથા પહોરમાં નારંગી અને સોપારીથી ભગવાનની પૂજા કરો. બીજા દિવસે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરો.

પદ્મિની એકાદશી પર સંતાન પ્રાપ્તિનો ઉપાય

પદ્મિની એકાદશી પર સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્નીએ સાથે મળીને ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ભગવાનને પીળા ફૂલ અને પીળા ફળ અર્પણ કરો. આ પછી તમે બને તેટલો “ॐ क्लीं कृष्णाय नमः” નો જાપ કરો. પછી ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો. પતિ-પત્નીએ ચઢાવેલું ફળ પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ

પાપ નાશ માટે ઉપાય

પદ્મિની એકાદશી પર રાત્રે પૂજાની વ્યવસ્થા કરો. ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવો. આ પછી ભગવદ ગીતાનો પાઠ કરો અથવા ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરો. પછી પાપના પ્રાયશ્ચિત માટે પ્રાર્થના કરો.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More