rajinikanth: રજનીકાંતે CM યોગી ના પગ કેમ સ્પર્શ્યા? સુપરસ્ટારે પોતે જ જણાવ્યું કારણ

રજનીકાંતે ટ્રોલ્સને જવાબ આપ્યો છે. મીડિયાને આપેલા નિવેદનમાં રજનીકાંતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પગ સ્પર્શ કરવા પાછળનું કારણ જણાવ્યું છે

by Zalak Parikh
rajinikanth explains why he touched uttar pradesh chief minister yogi adityanath feet

News Continuous Bureau | Mumbai

સુપરસ્ટાર રજનીકાંત ચર્ચાનો વિષય બની રહે છે. એક તરફ તેની ફિલ્મ ‘જેલર’ બોક્સ ઓફિસ પર અસાધારણ કમાણી કરી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ના પ્રમોશન દરમિયાન લખનઉ પહોંચ્યા હતા. લખનૌ પહોંચીને તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા. એટલું જ નહીં તેમણે મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. જ્યારે રજનીકાંતની તસવીરો સામે આવી અને લોકોએ તેમને સીએમ યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કરતા જોયા તો સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવા લાગ્યા. તે જ સમયે, નિવેદન આપતાં રજનીકાંતે સીએમ યોગી આદિત્યનાથના પગ સ્પર્શ કરવા પાછળનું કારણ આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : sunny deol: સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી, આ કારણોસર બેંકે પાછી ખેંચી નોટિસ

રજનીકાંતે યોગી આદિત્યનાથ ને પગે લાગવાનું કારણ જણાવ્યું

જ્યારે રજનીકાંતને ચેન્નાઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા ત્યારે પત્રકારોએ તેમને ઘેરી લીધા હતા. પત્રકારોએ તેમને મુખ્યમંત્રીના ચરણ સ્પર્શ કરવા પાછળનું કારણ પૂછ્યું. જેના જવાબમાં રજનીકાંતે કહ્યું કે આ તેમની એક આદત છે. અભિનેતાએ કહ્યું- “હા, તે મારાથી નાના છે. પરંતુ, આ મારી આદત છે. જ્યારે કોઈ સાધુ કે યોગી મારી સામે આવે છે, ત્યારે હું ચોક્કસપણે તેમના પગને સ્પર્શ કરું છું.” 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More