shoojit sircar: અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવાથી નિરાશ થયા શૂજિત સરકાર, આ અભિનેતા ને ગણાવ્યો હકદાર

'સરદાર ઉધમ' ના દિગ્દર્શક શૂજિત સરકાર અત્યંત ખુશ છે કે તેમની ફિલ્મે પાંચ નેશનલ એવોર્ડ જીત્યા છે. પરંતુ ઉધમ સિંહનું પાત્ર ભજવનાર વિકી કૌશલને રાષ્ટ્રીય પુરસ્કાર ન મળ્યો તે દુઃખદ છે. આ અંગે દિગ્દર્શકે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

by Zalak Parikh
shoojit sircar says vicky kaushal was deserving for best actor award in national awards

News Continuous Bureau | Mumbai

 69માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શૂજિત સરકારની ફિલ્મ ‘સરદાર ઉધમ’ને 5 કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. આ જીતથી ખૂબ જ ખુશ શૂજિત સરકારે કહ્યું કે તેમની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિકી કૌશલને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળવો જોઈએ. તે જાણીતું છે કે આ વર્ષે ‘પુષ્પા – ધ રાઇઝ’ના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો : jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ રચશે ઈતિહાસ,આ ખાસ દરજ્જો મેળવાનર ‘જવાન’ બનશે દેશની પહેલી ફિલ્મ, જાણો વિગત

 

અલ્લુ અર્જુન ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળવાથી નારાજ છે શૂજિત સરકાર 

શૂજિત સરકારે કહ્યું કે વિકી કૌશલ સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારને પાત્ર છે. મીડિયા  સાથે વાત કરતાં શૂજિતે કહ્યું, “વિકી કૌશલ ચોક્કસપણે શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારને લાયક છે. સરદાર ઉધમમાં તેણે જે રીતે પરિવર્તન કર્યું તે પ્રશંસનીય છે. અમે જલીયાવાલા બાગ સિક્વન્સથી શરૂઆત કરી હતી, પ્રથમ દ્રશ્ય માં ઉધમને મૃતદેહો ઉપાડતા બતાવવામાં આવ્યો તે પણ પીડા ના અનુભવ સાથે”. શૂજિતે કહ્યું, “આખો સેટ એ ભયાનક ઘટના અનુભવી રહ્યો હતો. તે ફિલ્મનો ટોન સેટ કરે છે. વિકી ઘણી રાતો સુધી સૂઈ શક્યો ન હતો. ફિલ્મના અન્ય ભાગોમાં પણ આ ખલેલ તેની સાથે રહી હતી.”

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More