New Delhi : પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023’નું ઉદ્ઘાટન કરશે

New Delhi : દેશમાં પ્રથમ વખત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે . કોન્ફરન્સની થીમ: 'જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ઉભરતા પડકારો'

by Akash Rajbhar
Prime Minister will inaugurate the 'International Lawyers Conference 2023' in New Delhi today

News Continuous Bureau | Mumbai 

New Delhi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં ‘આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023′( International Lawyers Conference 2023)નું ઉદઘાટન(opening) કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 23 થી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ ‘ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ’ વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા માટેના મંચ તરીકે કામ કરવાનો, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને કાનૂની મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજને મજબૂત કરવાનો છે. દેશમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ પરિષદમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની તકનીક, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધિશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાયદાકીય સમુદાયનાં નેતાઓની ભાગીદારી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : G20 Team Meet : પ્રધાનમંત્રીએ ભારત મંડપમમાં જી-20 સમિટના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More