Maharashtra Politics: સંજય રાઉત, દાનવેની મુશ્કેલીઓ વધશે? નિતેશ રાણેએ વિધાનસભા સચિવને લખ્યો પત્ર… જાણો શું છે કારણ…વાંચો વિગતે અહીં..

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલીઓ વધવાની છે. વિધાનસભા અધ્યક્ષ (રાહુલ નાર્વેકર) વિરૂદ્ધ તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

by Hiral Meria
BJP MLA Nitish Rane’s letter to Maharashtra Assembly Secretary to take Action against Sanjay Raut

News Continuous Bureau | Mumbai 

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) જૂથના શિવસેનાના નેતા સંજય રાઉત ( Shiv Sena leader Sanjay Raut ) અને અંબાદાસ દાનવેની ( Ambadas Danve ) મુશ્કેલીઓ વધવાની છે. વિધાનસભા અધ્યક્ષ (રાહુલ નાર્વેકર) ( Rahul Narvekar )  વિરૂદ્ધ તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ભાજપના ધારાસભ્ય ( BJP MLA ) નિતેશ રાણેએ ( Nitesh Rane ) વિધાનસભા સચિવને ( Assembly Secretary ) પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે સંજય રાઉત અને અંબાદાસ વિધાનસભા અધ્યક્ષ પર દબાણ લાવવા માટે સતત નિવેદનો આપી રહ્યા છે. તેમના નિવેદનો રાજકીય પ્રેરિત છે. એવા સમયે જ્યારે રાજ્યમાં ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ચાલી રહેલી સુનાવણી પેન્ડિંગ છે, તેમના નિવેદનો એ કાર્યવાહીને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.

મહારાષ્ટ્રમાં બીજેપી અને એકનાથ શિંદેના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર અંગે સંજય રાઉતે કહ્યું, “બંધારણ, કાયદો અને વિધાનસભામાં અપ્રમાણિકતાથી વિલંબ થઈ રહ્યો છે. બંધારણીય પદ પર બેસીને ગેરકાયદેસર રીતે સરકાર બનાવી ચલાવાય રહ્યું છે” સંજય રાઉતે એમ પણ કહ્યું- જો વિધાનસભાના સ્પીકર સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે તો તે સરમુખત્યાર નહીં ચાલે. અમે જે કર્યું તે યોગ્ય છે. રાઉતે આરોપ લગાવ્યો કે વિધાનસભા અધ્યક્ષ એકપક્ષીય કાર્યવાહી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Khalistan Support Manipur Violence: કુકી બળવાખોરોએ ખાલિસ્તાનમાં લીધો આશરો.. હિંદુ વિરોધી ચળવળ બન્યું મજબુત.. રિપોર્ટ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

 વિલંબિત ન્યાય એ પણ અન્યાય છે

અંબાદાસ દાનવે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા છે. તેમણે પણ રાઉત જેવું જ નિવેદન આપ્યું છે. દાનવેએ કહ્યું, “વિલંબિત ન્યાય એ પણ અન્યાય છે અને તે અન્યાય વિધાનસભા અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.”
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ-શિવસેના ગઠબંધન દ્વારા સરકાર રચાયા બાદ ઉદ્ધવ જૂથના ધારાસભ્યોએ સરકારમાં સામેલ ધારાસભ્યો પર પક્ષપલટાના આરોપો લગાવ્યા હતા. આ પછી, એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ પણ ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર સમાન આરોપો લગાવ્યા, આ મામલો હાલમાં વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More