Ram Mandir Ayodhya: નૃપેન્દ્ર મિશ્રાનું મોટુ નિવેદન.. અયોધ્યાના રામ મંદિર માટે દાન દ્વારા આટલા કરોડ રૂપિયા એકઠા થયા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર. વાંચો અહીં.

Ram Mandir Ayodhya: અયોધ્યામાં બની રહેલી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે મંદિરના નિર્માણ માટે ચાર લાખથી વધુ લોકોએ યોગદાન આપ્યું…

by Hiral Meria
Ram Mandir Ayodhya- Rs 3500 crore collected through donations for Ayodhya's Ram temple- Nripendra Mishra

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Ayodhya: અયોધ્યા (Ayodhya) માં બની રહેલી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ( Nripendra Mishra) એ કહ્યું છે કે મંદિરના નિર્માણ માટે ચાર લાખથી વધુ લોકોએ યોગદાન આપ્યું છે અને લગભગ 3500 કરોડ રૂપિયા એકઠા થયા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, “ભક્તોને આ મંદિરમાં આશા અને વિશ્વાસ હતો. અમારા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એવો પ્રયાસ કર્યો કે કાર્યકર્તાઓ રસીદો સાથે દેશના ઓછામાં ઓછા ચાર લાખ ગામડાઓમાં જાય. “તેમનું દાન એકત્ર કરશે અને જમા કરશે”

આ સમાચાર પણ વાંચો :  Manipur Violence: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી, સરકારે આટલા પોલીસ સ્ટેશન વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર કર્યો જાહેર..જાણો સમગ્ર મામલો વિગતે.. વાંચો અહીં..

 જેમણે રૂ. 50 કરોડ આપ્યા છે..

તેમણે કહ્યું, “એવા લોકો છે જેમણે રૂ. 10 કરોડ આપ્યા છે. એવા પણ લોકો છે જેમણે રૂ. 50 કરોડ આપ્યા છે પરંતુ તેઓ સંખ્યામાં ઓછા છે. સામાન્ય લોકો જેમણે (દાન) આપ્યું છે તેઓ ચાર લાખથી વધુ છે.”મિશ્રાએ કહ્યું, “તે તમામ રસીદો રાખવામાં આવી છે. આ માધ્યમથી લગભગ 3500 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.” તેમણે એમ પણ કહ્યું કે, ‘ભક્તો 26 જાન્યુઆરી પહેલા મંદિરમાં ભગવાન રામના દર્શન કરી શકશે.’

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More