Supreme Court : લ્યો બોલો… આ ભાઈએ આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને ચાર્લ્સ ડાર્વિનના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ગણાવ્યા ખોટા.. સુપ્રીમ કોર્ટે આપી આ સલાહ..

Supreme Court : સુપ્રીમ કોર્ટે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત અને આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સિદ્ધાંત બંનેને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અરજીકર્તાઓને સાંભળતા કહ્યું કે વિજ્ઞાનની કસોટીના આધારે આ સિદ્ધાંતોને જાહેર જ્ઞાનમાંથી હટાવી શકાય નહીં.

by Hiral Meria
Supreme Court : Plea challenging theories of Darwin and Einstein dismissed by Supreme Court

News Continuous Bureau | Mumbai 

Supreme Court : સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો ( Judges ) આજે (13 ઓક્ટોબર) આશ્ચર્યમાં પડી ગયા. જ્યારે એક અરજીકર્તાએ ( applicant ) દાવો કર્યો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( Albert Einstein ) અને ચાર્લ્સ ડાર્વિનના ( Charles Darwin) વૈજ્ઞાનિક સિદ્ધાંતો ખોટા છે. અને તેનાથી ઘણા લોકોને નુકસાન થયું છે. સાથે અરજદારે એવી પણ માગણી કરી હતી કે આ સિદ્ધાંતો શાળાઓમાં ન ભણાવવામાં આવે. આના પર કોર્ટે અરજદારને ફરીથી શીખવા અથવા તેની પોતાની અલગ થિયરી બનાવવાની સલાહ આપતા અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે અરજીકર્તાઓને સાંભળતા કહ્યું કે વિજ્ઞાનની કસોટીના આધારે આ સિદ્ધાંતોને જાહેર જ્ઞાનમાંથી હટાવી શકાય નહીં.

ન્યાયાધીશ સંજય કિશન કૌલ ( Justice Sanjay Kishan Kaul ) અને સુધાંશુ ધુલિયાની ( Sudhanshu Dhulia ) બેંચ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થયેલા પીટીશનરે ( petitioner ) જણાવ્યું હતું કે ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશન (પૃથ્વી પર જીવનના વિકાસનો સિદ્ધાંત) અને આઈન્સ્ટાઈનનું સૂત્ર E=mc2 (ઊર્જા સંબંધિત એક મહત્વપૂર્ણ સિદ્ધાંત) છે. તેણે શાળા અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. આજે તે કહી શકે છે કે આ સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે ખોટો છે. તેના પર જજોએ પૂછ્યું કે કોર્ટ આમાં શું કરી શકે?

ન્યાયાધીશે આ પ્રશ્નો પૂછ્યા

જસ્ટિસ કૌલે કહ્યું, શું ન્યુટન કે આઈન્સ્ટાઈનની થિયરીઓનું પરીક્ષણ કરવાનું કોર્ટનું કામ છે? તમને કયા વકીલે અરજી દાખલ કરવાની સલાહ આપી? અરજદારે જણાવ્યું કે તેણે પોતે જ અરજી દાખલ કરી છે. આ પછી અરજદારે પૂછ્યું કે જો કોર્ટ તેની અરજી પર સુનાવણી નહીં કરે તો તેણે ક્યાં જવું? તેના પર જસ્ટિસ કૌલે કહ્યું કે કોર્ટનું કામ તેમને સલાહ આપવાનું નથી.

આ સમાચાર પણ વાંચો : Olympics: IOCની કડક કાર્યવાહી, રશિયાની ઓલિમ્પિક કમિટીને કરી સસ્પેન્ડ, જાણો કેમ કર્યું આવું?

પછી એક અલગ સિદ્ધાંત બનાવો- સુપ્રીમ કોર્ટ

ખંડપીઠે કહ્યું કે જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી પ્રચલિત વૈજ્ઞાનિક સિદ્ધાંતો ખોટા લાગે છે, તો તે પોતાના સિદ્ધાંતો ઘડવા અને તેનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર છે. અરજદાર ઇચ્છે તો આ પણ કરી શકે છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More