World Cup 2023: 6 જીત બાદ પણ ટીમ ઇન્ડિયા ટેન્શનમાં, વર્લ્ડ કપમાં ઊભી થઇ શકે છે આ મોટી સમસ્યા, જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં..

World Cup 2023: ભારતીય ટીમે ICC વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 6 મેચમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી લીઘી છે.

by NewsContinuous Bureau
World Cup 2023 Even after 6 wins, Team India is in tension, this big problem can arise in the World Cup, know what is this matter….

News Continuous Bureau | Mumbai 

World Cup 2023 : ભારતીય ટીમે (Indian Team) ICC વર્લ્ડ કપ (ICC World Cup 2023) માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને 6 મેચમાં જીત મેળવી છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડ (England) ને હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી લીઘી છે. રોહિત શર્માની સ્ક્વેડે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડશે નહીંતર પરેશાની વધી શકે છે. ICC વર્લ્ડ કપમાં ભારત સિવાય તમામ 9 ટીમોએ હારનો સ્વાદ ચાખ્યો છે. ગઈકાલે રમાયેલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું તેમ છતાં, ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે.

 

ભારતીય ટીમે અત્યાર સુધી પાંચ મેચમાં જીત મેળવી છે અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે, અફઘાનિસ્તાનને 8 વિકેટે, પાકિસ્તાનને 7 વિકેટે, બાંગ્લાદેશને 7 વિકેટે અને ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. વર્લ્ડ કપ 2023માં પહેલી વાર ભારતીય ટીમ બેટીંગમાં માત્ર 229 રન સુધી જ પહોંચી શકે છે. આગામી મેચમાં ભારતીય ટીમ પહેલા બેટીંગ કરે અને હાઈ સ્કોર નહીં કરી શકે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Srinagar: શ્રીનગરમાં આતંકી હુમલો, ક્રિકેટ રમી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પર અંધાધુંધ ગોળીબાર.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં…

ભારત એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય..

અત્યાર સુધી ભારત સામે રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયા માત્ર 199 રન, પાકિસ્તાન 191 રન, બાંગ્લાદેશની ટીમ 256 રન જ કરી શકી હતી. અફઘાનિસ્તાનની ટીમે 272 રન અને ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 273 રન કરી શકી હતી. ભારત ઈંગ્લેન્ડ સામેની મેચમાં 300 રન પણ પાર કરી શકી નથી. જ્યારે ટોપ 4માં સાઉથ આફ્રિકાએ 300થી વધુ રન ચાર વાર બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આ પ્રકારે 4 વાર કરી ચૂકી છે. તો ભારતે પણ હવે પોતાની બેટીંગ લાઈનમાં થોડો દમદાર પરફોમન્સ દાખવો પડશે.. જેથી તે આ વર્લ્ડ કપમાં કોઈપણ સમસ્યા વિના જીત મેળવી શકે..

હાલ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ કરી લીધી છે. અહીંથી, બાકીની ત્રણ મેચમાં એક જીત પણ ભારતીય ટીમની અંતિમ-4ની ટિકિટ સત્તાવાર રીતે કન્ફર્મ કરશે. ભારત એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર આવી ગઈ છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More