World Cup 2023: અર્જુન રણતુંગાના નિવેદન બદલ શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી, જાણો શું છે મામલો

World Cup 2023: પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપોના સંદર્ભમાં શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી છે. અર્જુન રણતુંગાએ આરોપ લગાવ્યો કે જય શાહ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ચલાવી રહ્યા છે અને તેમની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને નાશ થયો છે.

by Hiral Meria
World Cup 2023 Sri Lanka government apologizes to BCCI secretary Jay Shah for Arjuna Ranatunga statement

News Continuous Bureau | Mumbai

World Cup 2023: પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા ( Arjuna Ranatunga ) દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપોના સંદર્ભમાં શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી ( BCCI Secretary ) જય શાહની ( Jay Shah ) માફી માંગી છે. અર્જુન રણતુંગાએ આરોપ લગાવ્યો કે જય શાહ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ( Sri Lanka Cricket Board ) ચલાવી રહ્યા છે અને તેમની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને નાશ થયો છે.

શ્રીલંકાની ટીમ લીગ રાઉન્ડમાં નવમાંથી સાત મેચ હારીને ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ( Cricket World Cup ) બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત શ્રીલંકાની ટીમ 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટ પણ બુક કરી શકી નથી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ શુક્રવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) ને સસ્પેન્ડ કરી દીધું છે. બોર્ડમાં સરકારની દખલગીરીને કારણે ICCએ ઉતાવળે તેમનું સભ્યપદ રદ કર્યું છે. 1996માં શ્રીલંકા માટે વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન અર્જુન રણતુંગા અત્યંત ગુસ્સામાં હતો.

અમે અમારા ક્રિકેટ બોર્ડની ભૂલો માટે અન્ય દેશો સામે આંગળી ચીંધી શકીએ નહીં:શ્રીલંકન સરકાર..

શ્રીલંકન ક્રિકેટ જય શાહ ચલાવે છે. તેમના દબાણને કારણે આપણું ક્રિકેટ બોર્ડ બરબાદ થઈ રહ્યું છે. જય શાહના પિતા ભારતમાં શક્તિશાળી નેતા છે. અર્જુન રણતુંગાનો આરોપ છે કે જય શાહે પોતાના ક્રિકેટ બોડીની તાકાતથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડનો નાશ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર 3 ની સક્સેસ ઇવેન્ટ પાર્ટી માં સલમાન ખાને ઇમરાન હાશ્મી સાથે કરી એવી હરકત કે જોર જોર થી હસવા લાગી કેટરીના કૈફ

શ્રીલંકાની સરકારે અર્જુન રણતુંગાએ લગાવેલા આરોપો માટે માફી માંગી છે. શ્રીલંકન સરકારના મંત્રીઓ હરિન ફર્નાન્ડો અને કંચના વિજેસેકરાએ રણતુંગાના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો. કંચના વિજેસેકરાએ કહ્યું કે અમે અમારા ક્રિકેટ બોર્ડની ભૂલો માટે અન્ય દેશો સામે આંગળી ચીંધી શકીએ નહીં.

દરમિયાન, આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધને દૂર કરવા માટે, પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે ચર્ચા કરી છે, તેમ પર્યાવરણ મંત્રી હરિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More