Parliament Winter Session: કાશ્મીર પર નેહરુની આ બે ભુલના કારણે બન્યું PoK, લોકસભામાં અમિત શાહનો કોંગ્રેસ પર જોરદાર પ્રહાર… મચ્યો હંગામો..

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર રાજકીય ઘર્ષણની શક્યતા છે. તેવી જ રીતે બુધવારે સંસદમાં પણ હંગામો જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અંગેના નિવેદનને લઈને બુધવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો

by Bipin Mewada
Parliament Winter Session PoK became PM due to these two mistakes of Nehru on Kashmir, Amit Shah's heavy attack on Congress in Lok Sabha

News Continuous Bureau | Mumbai

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર ( Parliament Winter Session ) માં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર રાજકીય ઘર્ષણની શક્યતા છે. તેવી જ રીતે બુધવારે સંસદમાં પણ હંગામો જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah ) ના ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ( Jawaharlal Nehru ) અંગેના નિવેદનને લઈને બુધવારે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ નિવેદનનો વિરોધ કરીને વિપક્ષે ( Opposition ) બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

અમિત શાહ લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી ( Jammu and Kashmir ) કલમ 370 ( Article 370 ) હટાવવા અંગે નિવેદન આપી રહ્યા હતા. કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ સતત સવાલ ઉઠી રહ્યો છે કે કેન્દ્ર સરકારે ત્યાં શું વિકાસ કામ કર્યું છે. જેના જવાબમાં અમિત શાહે સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી. શાહે વધુમાં કહ્યું, દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની બે ભૂલોને કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( POK ) નું નિર્માણ થયું અને કાશ્મીર ( Kashmir ) ને આ બે કારણે ઘણા વર્ષો સુધી અન્યાય અને અત્યાચાર સહન કરવો પડ્યો.

 કાશ્મીરમાં પહેલા 46 બેઠકો હતી, હવે 47 છે

અમિત શાહે પોતાના ભાષણમાં ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. પંડિત જવાહરલાલ નેહરુની પહેલી અને સૌથી મોટી ભૂલ એ હતી કે જ્યારે તેમની સેના જીતી રહી હતી, ત્યારે સૈન્ય પંજાબ પહોંચતા જ તેમણે યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. આમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો જન્મ થયો. અમિત શાહે દાવો કર્યો કે જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત તો આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ હોત. અમિત શાહના આ દાવા પર કોંગ્રેસના સાંસદોએ આક્રમક હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Cyber Fraud: સરકારની મોટી કાર્યવાહી! પાર્ટટાઇમ નોકરીના નામે ફ્રોડ કરતી 100થી વધુ વેબસાઇટ પર લાગ્યો પ્રતિબંધ..

નેહરુની બીજી ભૂલ ભારત-પાકિસ્તાનના વિવાદનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. શાહે કહ્યું કે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો એ ભૂલ હતી. અમિત શાહે કહ્યું કે, જો ગુસ્સે થવું હોય તો મારા પર નહીં, નેહરુ પર ગુસ્સો કરો. ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ લોકસભાથી વોકઆઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું કે, પહેલા જમ્મુમાં 37 બેઠકો હતી, હવે 43 છે. કાશ્મીરમાં પહેલા 46 બેઠકો હતી, હવે 47 છે અને PoKમાં 24 બેઠકો અનામત કરી દેવાઈ છે, કારણ કે PoK આપણું છે.

પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, બિલના નામની સાથે સન્માન જોડાયેલું છે, તેને એ જ લોકો જોઈ શકે છે, જે પોતાનાથી પાછળ રહી ગયેલા લોકોની આંગળી પકડીને સંવેદનાની સાથે આગળ વધારવા ઈચ્છે છે. તે લોકો આને નહીં સમજી શકે, જે તેનો ઉપયોગ વોટબેંક માટે કરે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More