Ram Mandir: રામ ભક્તો માટે સારા સમાચાર.. અમદાવાદ-અયોધ્યા વચ્ચે આ તારીખથી શરૂ થશે સીધી ફ્લાઇટ, માત્ર 1 કલાક 50 મિનિટમાં પહોંચી જવાશે..

by kalpana Verat
Ram Mandir IndiGo to link Ayodhya with Delhi & Ahmedabad before Shri Ram temple inauguration

  News Continuous Bureau | Mumbai

Ram Mandir: અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. 

આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચશે. 

દરમિયાન વિવિધ જગ્યાએથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે. 

11 જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ઇન્ડિગો એરલાઇન્સ કંપનીએ કર્યો છે. 

આ ડાયરેક્ટ ફ્લાઇટથી માત્ર 1 કલાક 50 મિનિટમાં અમદાવાદથી અયોધ્યા પહોંચી શકાશે.

હાલ અયોધ્યાનું ભાડું 3,999 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 9.10 વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે 11.30 વાગ્યે ઉપડશે. 

આ સમાચાર પણ વાંચો : Mohammed Shami:  અર્જુન એવોર્ડની રેસમાં થઈ આ ખેલાડીની એન્ટ્રી, વર્લ્ડકપ 2023ના હીરો માટે  ક્રિકેટ બોર્ડે કરી ખાસ ભલામણ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More