Ayodhya Ram Mandir: જો બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો આ મુદ્દે વડાપ્રધાન મોદીની પીઠ થપથપાવી હોત… મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નિવેદન.

Ayodhya Ram Mandir: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગઈકાલે રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારના રાજાપુરમાં "શિવ સંકલ્પ રેલી" ને સંબોધિત કરી હતી. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ પર નિશાન સાધવાની સાથે, સીએમ શિંદેએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક અને કલમ 370 નાબૂદ કરવાની અંગે પણ વાત કરી હતી…

by Bipin Mewada
Ayodhya Ram Mandir If Balasaheb Thackeray was alive, he would have patted Prime Minister Modi's back on this issue... Chief Minister Eknath Shinde's statement..

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે (8 જાન્યુઆરી) રત્નાગિરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારના રાજાપુરમાં “શિવ સંકલ્પ રેલી” ને સંબોધિત કરી હતી. આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ પર નિશાન સાધવાની સાથે, સીએમ શિંદેએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક અને કલમ 370 નાબૂદ કરવાની અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જો બાળાસાહેબ ઠાકરે ( Balasaheb Thackeray ) જીવતા હોત તો તેમણે આ કામો માટે પીએમ મોદીના ( PM Modi ) વખાણ કર્યા હોત.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ( Eknath Shinde ) કહ્યું કે, જો શિવસેનાના ( Shiv Sena ) સંસ્થાપક સ્વર્ગસ્થ બાલસાહેબ ઠાકરે જીવિત હોત તો તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ( Article 370 ) નાબૂદ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પીઠ થપથપાવી હોત.’ શિંદેએ વધુમાં કહ્યું કે, ‘આર્ટિકલ 370 હટાવવી અને રામ મંદિરનું નિર્માણ સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે હવે આ હકીકત બની ગઈ છે. તેથી જો બાળાસાહેબ જીવતા હોત તેઓને ઘણો આનંદ થાત…

આ સમાચાર પણ વાંચો : Mumbai Gujarati Sangthan : અતિ આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક ધરોહર સાથે ઉજવાયો નાશિકની ગુજરાતી માધ્યમની શાળાનો ધમાકેદાર વાર્ષિક મહોત્સવ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામ લલ્લાનો અભિષેક કરાશે

22 જાન્યુઆરીએ અયોધ્યામાં પીએમ મોદીના હસ્તે શ્રી રામ મંદિરમાં ( Ram Mandir ) રામ લલ્લાનો અભિષેક કરાશે . આ સમારોહમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઘણા મહાનુભાવો અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ઘટક પક્ષોના અગ્રણી નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ જ ભાવનામાં, ભારતીય જનતા પાર્ટીના જૂના સાથી અને NDAમાં મુખ્ય ઘટક શિવસેનાને પણ આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ શનિવારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More