Lok Sabha : મહારાષ્ટ્રમાં પીએમ મોદી દ્વારા મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ધાટન બાદ આ 11 લોકસભા સીટો પર મહાયુતિને ફાયદો થવાની વધી શક્યતા

Lok Sabha : પીએમ મોદીએ મુંબઈમાં વિવિધ વિકાસશીલ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરીને રાજ્યમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ વગાડી દીધુ હતું. તેથી નિષ્ણાંતો ના મતે વિકાસના આ માર્ગથી ભાજપ અને મહાગઠબંધનને ઓછામાં ઓછા 11 લોકસભા મતવિસ્તારોમાં ફાયદો થઈ શકે છે.

by Hiral Meria
Lok Sabha After the inauguration of an important development project by PM Modi in Maharashtra, there is an increased possibility of the Mahayuti winning these 11 Lok Sabha seats..

News Continuous Bureau | Mumbai 

Lok Sabha : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ એટલે કે અટલ સેતુ ( Atal Setu ) અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાજ્યમાં લોકસભા ચૂંટણીનું ( Lok Sabha elections ) રણશિંગુ ફૂંકી દીધુ હતું. તેથી નિષ્ણાંતો ના મતે વિકાસના આ માર્ગથી ભાજપ ( BJP ) અને મહાગઠબંધનને ઓછામાં ઓછા 11 લોકસભા મતવિસ્તારોમાં ફાયદો થઈ શકે છે. 

આનાથી સીધા પ્રભાવિત મતવિસ્તારોમાં દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ, ઉત્તર મુંબઈ, થાણે, કલ્યાણ અને રાયગઢનો સમાવેશ થાય છે, જ્યારે ઉત્તર પૂર્વ મુંબઈ, ભિવંડી, પુણે જેવા કેટલાક મતવિસ્તારો પરોક્ષ રીતે ફાયદો થશે.

ક્યા 11 મતવિસ્તારોને થશે ફાયદો..

અટલ સેતુના કારણે મુંબઈ (શિવડી)થી નવી મુંબઈ, પનવેલ, અલીબાગથી રાયગઢનું અંતર માત્ર 20 મિનિટમાં અને પૂણે 90 મિનિટમાં પહોંચી શકાય છે. તેથી આ અટલ સેતુ દક્ષિણ મુંબઈ વિસ્તારથી શરૂ થાય છે અને રાયગઢ જિલ્લાના ચિરલે ગામ (ન્વાશેવા) સુધી જાય છે. તેથી તેની સીધી અસર દક્ષિણ મુંબઈ અને દક્ષિણ મધ્ય મુંબઈ અને રાયગઢ લોકસભા બેઠકો ( Lok Sabha seats ) પર પડશે અને પુણે જતા લોકોને પણ આડકતરી રીતે ફાયદો થશે. આ વિસ્તારમાં જમીન અને મકાનોના ભાવ પણ વધશે અને રાયગઢ જિલ્લામાં ઉદ્યોગોને પણ વેગ મળશે.

આ સમાચાર પણ વાંચો : India UK Relations: અમેરિકા પછી હવે બ્રિટન આડુ ફાટ્યું, પાકિસ્તાન કબજાના કાશ્મીરની મુલાકાત લીધી

થાણે જિલ્લામાં દિઘા ગાંવ રેલ્વે સ્ટેશન ( digha railway station ) બની ગયુ છે. જેમાં વડાપ્રધાન મોદીએ ( Narendra Modi ) દિઘા ગાંવ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આનો સીધો ફાયદો થાણે મતવિસ્તારને થશે. આનાથી પરોક્ષ રીતે નજીકના ઉત્તર પૂર્વ મુંબઈ મતવિસ્તારને પણ ફાયદો થઈ શકે છે. એ જ રીતે, પશ્ચિમ રેલવે પર છઠ્ઠી લાઇનનું ઉદ્ઘાટન ઉત્તર-મધ્ય, ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં ખાર રોડ અને ગોરેગાંવ વચ્ચે કરવામાં આવશે. જેમાં ખારકોપર-ઉરણ રેલ્વે સેવા, બેલાપુરથી પેંડાર સુધીની 11.10 કિમી લાંબી મેટ્રો લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેનાથી પણ આ મતવિસ્તારોને ફાયદો થવાની શક્યતા છે.

આ 11 મતવિસ્તારો પર થશે ફાયદો..

દક્ષિણ મુંબઈ – અરવિંદ સાવંત (ઉબાથા)
દક્ષિણ-મધ્ય મુંબઈ – રાહુલ શેવાલે (શિવસેના-શિંદે જૂથ)
ઉત્તર-મધ્ય મુંબઈ-પૂનમ મહાજન (ભાજપ)
ઉત્તર-પશ્ચિમ મુંબઈ – ગજાનન કીર્તિકર (શિવસેના-શિંદે જૂથ)
મુંબઈ ઉત્તર – ગોપાલ શેટ્ટી (ભાજપ)
ઉત્તર પૂર્વ મુંબઈ – મનોજ કોટક (ભાજપ)
થાણે – રાજન વિખરે (ઉબાથા)
કલ્યાણ – શ્રીકાંત શિંદે (શિવસેના-શિંદે જૂથ)
રાયગઢ – સુનીલ તટકરે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ – અજિત પવાર જૂથ)
પુણે- આ સીટ હાલમાં ભાજપના ગિરીશ બાપટના નિધનને કારણે ખાલી છે.
ભિવંડી – કપિલ પાટીલ (ભાજપ)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More