Maratha Reservation: બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણ મામલે મનોજ જરાંગેના મુંબઈમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો.. શિંદે સરકારની મુશ્કેલી વધી..

Maratha Reservation: મરાઠા આરક્ષણની કુચ હવે મુંબઈ પહોંચવાની છે. ત્યારે આજે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનોજ જરાંગને આ વિરોધ પ્રદર્શન અંગે સુચનો આપ્યા છે.

by Bipin Mewada
Action will be taken against Maratha reservation Manoj Jarange if law and order situation deteriorates in Mumbai, Bombay High Court..

News Continuous Bureau | Mumbai 

Maratha Reservation: બોમ્બે હાઈકોર્ટે ( Bombay High Court ) બુધવારે મરાઠા નેતા મનોજ જરાંગેને નોટિસ જારી કરીને કહ્યું હતું કે મુંબઈમાં તેમના આંદોલન ( Protest ) દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો પગલાં લેવામાં આવશે. હાઈકોર્ટે શહેરની સુરક્ષા જાળવવા રાજ્ય સરકારને ( Shinde Government ) પણ આદેશો આપ્યા છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી 15 દિવસ માટે મુલતવી રાખી છે.

મૂળભૂત રીતે,  મનોજ જરાંગે ( Manoj Jarange ) તરફથી આ વિરોધ પ્રદર્શન ( Maratha Reservation ) માટે પરવાનગી માંગતો કોઈ પત્ર મુંબઈ પોલીસ ( Mumbai Police ) પાસે આવ્યો નથી. પરંતુ આ દેશમાં દરેકને રાઈટ ટુ સ્પીચનો અધિકાર છે. રાજ્ય સરકાર મુંબઈમાં પ્રસ્તાવિત મરાઠા આંદોલનને રોકવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. પરંતુ જો તેની વિપરીત અસરો થાય તો તેની જવાબદારી કોની? રાજ્ય સરકારના આ સ્ટેન્ડ સામે બોમ્બે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જરંગે-પાટીલ તેમની સાથે જેટલા વિરોધીઓ લાવી રહ્યા છે તે જોતાં તેમને વિરોધ કરવા માટે જગ્યા ક્યાં આપવી? આનો નિર્ણય રાજ્ય સરકારે લેવો જોઈએ.

  હાઈકોર્ટે આ કેસની સુનાવણી 15 દિવસ માટે મુલતવી રાખી છે..

એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ બુધવારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે જરાંગે આંદોલનને કારણે મુંબઈના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir: રામ મંદિરની દર્શન કરવા નીકળેલી મુસ્લિમ યુવતીએ 35 દિવસમાં આટલા કિલોમીટરની સફર પૂર્ણ કરી લીધી.. અયોધ્યા પહોંચવાની તૈયારીમાં..

રાજ્યના એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે હજુ સુધી મનોજ જરાંગેને મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ રાજ્ય સરકાર વિરોધ પ્રરર્દશ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવશે. આ પછી હાઈકોર્ટે કહ્યું કે જો મનોજ જરાંગેના આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી જરાંગેની રહેશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવી નોટિસ હાઇકોર્ટ દ્વારા જરાંગેને આપવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવા યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી 15 દિવસ માટે મુલતવી રાખી છે, પરંતુ તે વચ્ચે અરજદાર ગુણરત્ન સદાવર્તેને જરૂર પડ્યે કોર્ટમાં આવવાની પરવાનગી આપી છે.

બુધવારે જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરેકને લોકતાંત્રિક રીતે વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ જરાંગે-પાટીલના આંદોલને હિંસક વળાંક લીધો છે. તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More