News Continuous Bureau | Mumbai
Dalljiet kaur: ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે શાલીન ભનૌત સાથે છૂટાછેડા લીધા બાદ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. દલજીતે તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે દલજીત તેની લગ્ન ની તસવીરો ને લઈને ચર્ચામાં આવી છે. વાત એમ છે કે દલજીતે અચાનક જ તેના પતિ નિખિલ પટેલ ની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. એટલું જ નહીં તેણે પોતાના નામમાંથી પટેલ સરનેમ પણ હટાવી દીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દલજીત અને તેના પતિ વચ્ચે કંઈ પણ બરાબર નથી. હવે આ સમગ્ર મામલાને લઈને દલજીત ની ટીમ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Article 370: આર્ટિકલ 370 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી યામી ગૌતમે ફેન્સ સાથે જાહેર કરી તેની ખુશી
દલજીત ની ટિમ નું નિવેદન
દલજીત કૌર ની ટીમના એક પ્રવક્તાએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘હું કહેવા માંગુ છું કે દલજીત તેના પિતા અને માતાની સર્જરીને કારણે ભારતમાં છે, તેમને તેની જરૂર છે. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે દલજીત આ સમયે કોઈ પણ મુદ્દા પર ટિપ્પણી કરવા માંગતી નથી, કારણ કે તેનાથી તેના બાળકો પર અસર થશે. કૃપા કરીને બાળકોની ગોપનીયતા નો આદર કરો અને આને તેમના નિવેદન તરીકે ધ્યાનમાં લો.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે , નિખિલ સાથે લગ્ન કર્યા બાદ દલજીત તેના પતિ સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. દલજીત અહીં તેના દીકરા જેડન અને પતિ સાથે રહે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)