Maharashtra: ઇડીની કાર્યવાહી નકામી છે, 85% કેસ ખોટા. શરદ પવારનું મોટું નિવેદન.. જાણો તેમણે બીજુ શું કહ્યું…

Maharashtra: પુણેમાં આયોજીત એક કાર્યક્રમમાં શરદ પવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે, સત્તામાં આવ્યા બાદથી ભાજપ 'ED'નો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં 121 નેતાઓની ED દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે. આમાંથી 85 ટકા નેતાઓ વિરોધ પક્ષોના છે.

by Bipin Mewada
Maharashtra ED action is useless, 85% cases wrong. Sharad Pawar's big statement

News Continuous Bureau | Mumbai 

Maharashtra: પુણેના સંજીવની આરોગ્ય મિત્ર યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા વરિષ્ઠ નેતા શરદ પવારે ( Sharad Pawar ) રવિવારે દાવો કર્યો હતો કે જ્યારથી ભાજપ ( BJP ) સત્તામાં આવી છે. ત્યારથી પાર્ટીના કોઈપણ નેતાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) ની કાર્યવાહીનો સામનો કર્યો નથી.ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળના જૂથને મૂળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) તરીકે માન્યતા આપવા આવતા અને પક્ષના ચૂંટણી ચિન્હને ઘડિયાળ ફાળવવા અંગે શરદ પવારે કહ્યું કે, આવી સ્થિતિ દેશમાં ક્યારેય જોવા મળી નથી.લોકો આવા નિર્ણયોને સમર્થન નહીં આપે. 

પંચે ( Election Commission ) શરદ પવારની આગેવાની હેઠળના જૂથને પાર્ટીનું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ ચંદ્ર પવાર ( Nationalist Congress Party- Sharad Chandra Pawar ) ફાળવ્યું છે. પુણેના આ કાર્યક્રમને સંબોધતા પવારે દાવો કર્યો હતો કે EDએ 2005 થી 2023 સુધીમાં 6,000 કેસ નોંધીને સમગ્ર દેશમાં તપાસ હાથ ધરી છે. પરંતુ, તેમાંથી માત્ર 25 કેસોમાં જ ઈડીને હકીકતો મળી આવી હતી. તેમાંથી 85 ટકા કેસ વિપક્ષી નેતાઓ સાથે સંબંધિત છે અને ખોટા છે. જ્યારથી ભાજપ કેન્દ્રમાં સત્તામાં છે, તેમની પાર્ટીના કોઈપણ નેતાએ EDની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો નથી. તદુપરાંત, પાર્ટી સત્તામાં આવ્યા પછી ભાજપના નેતાઓ સામેની તપાસ પણ બંધ કરી દેવામાં આવી હતી.

 કોઈપણ પ્રતીક કરતાં તમારા વિચારો અને પાર્ટીની વિચારધારા વધુ મહત્વની છેઃ શરદ પવાર..

પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારને એનસીપીના નામ અને ચૂંટણી ચિન્હ પર ચૂંટણી પંચના નિર્ણય વિશે પૂછ્યું ત્યારે પવારે કહ્યું હતું કે, તેઓ બળદની જોડીના પ્રતીક પર તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોઈપણ પ્રતીક કરતાં તમારા વિચારો અને પાર્ટીની વિચારધારા વધુ મહત્વની છે. તેમણે કહ્યું હતું કે, પંચનો નિર્ણય આશ્ચર્યજનક છે. અમારો રાજકીય પક્ષ અન્ય લોકોને આપવામાં આવ્યો, આવી સ્થિતિ દેશમાં ક્યારેય જોવા મળી નથી. હું માનું છું કે લોકો આવા નિર્ણયને સમર્થન નહીં આપે. અમે સોમવારે નવા નામ અને ચૂંટણી ચિન્હ અંગે ચર્ચા કરીશું.

આ સમાચાર પણ વાંચો : Semiconductor Plant: વધુ એક વખત ઇઝરાયેલ ભારતની પડખે, સેમિકન્ડક્ટર સંદર્ભે આ નિર્ણય લીધો.

બારામતી લોકસભા ક્ષેત્ર સંબંધિત એક પ્રશ્નના જવાબમાં શરદ પવારે કહ્યું હતું કે, હું આગામી ચૂંટણી લડવાનો નથી. બારામતીના લોકો સાદા અને સીધાસાદા છે. તેઓ યોગ્ય નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, પુણે જિલ્લામાં બારામતી પવારનો રાજકીય ગઢ છે. નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિશે પૂછવામાં આવતા શરદ પવારે કહ્યું કે, CAA લાગુ કરવું યોગ્ય નથી. ચાલો જોઈએ કે આવતા અઠવાડિયે શું થાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More