Divya Kala Mela: ‘સબકા સાથ, સબકા વિકાસ’ દિવ્ય કલા મેળામાં ‘આ’ લોકો તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે

Divya Kala Mela: દિવ્ય કલા મેળામાં દિવ્યાંગ લોકો તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે

by Hiral Meria
'These' people will showcase their skills in the 'Sabka Saath, Sabka Vikas' Divya Kala Mela

News Continuous Bureau | Mumbai  

Divya Kala Mela: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મૂળ મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ’ ( Sabka Saath, Sabka Vikas ) હેઠળ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના ( disabled persons ) સશક્તીકરણ વિભાગ, દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. દિવ્યાંગોને ઉદ્યોગસાહસિક ( entrepreneur ) અને કારીગરો તરીકે વિકસાવીને આત્મનિર્ભર બનાવવા દેશભરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

દેશના ઘણા મોટા શહેરોમાં સફળ કાર્યક્રમો પછી, દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગ દ્વારા શુક્રવારથી ઐતિહાસિક અને આધુનિક શહેરમાં આવેલા વલ્લભ સદન, બ્લોક A અને B, રિવરફ્રન્ટ, અમદાવાદ (  Ahmedabad ) ખાતે 15મા દિવ્ય કલા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. વીરેન્દ્ર કુમાર સહિત અનેક મહાનુભાવો તેમની મહાનુભાવો ઉપસ્થિત રહેશે. દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે, આ મેળામાં દેશના લગભગ 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરશે. જેમાં ઘરની સજાવટ અને જીવનશૈલી, કપડાં, સ્ટેશનરી અને ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ, તૈયાર ફૂડ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, રમકડાં અને ભેટો, અંગત એક્સેસરીઝ – જ્વેલરી, ક્લચ બેગ વગેરે મુખ્ય રહેશે. આ મેળો દરેક માટે ‘લોકલ માટે વોકલ’ બનવાની અને દિવ્યાંગ કારીગરો દ્વારા તેમના વધારાના નિર્ધાર સાથે બનાવેલ ઉત્પાદનોને જોવા/ખરીદવાની તક હશે.

આ સમાચાર પણ વાંચો :  NABARD : નાબાર્ડે નાણાકીય વર્ષ 2024-25 માં ગુજરાત માટે અધધ આટલા લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું કર્યું અનાવરણ.

અમદાવાદમાં આયોજિત આ 10-દિવસીય ‘દિવ્ય કલા મેળા’માં પ્રવેશ મફત છે, જે સવારે 11.00થી 9.00 વાગ્યા સુધી ચાલે છે. તે દરરોજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શ્રેણી રજૂ કરશે જેમાં દિવ્યાંગ કલાકારો અને જાણીતા વ્યાવસાયિકો દ્વારા પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં, મુલાકાતીઓ દેશના વિવિધ પ્રદેશોમાંથી તેમના મનપસંદ ભોજનનો આનંદ પણ માણી શકશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More