Ram Mandir: રામ મંદિર માટે અત્યાર સુધીમાં 25 કરોડ રૂપિયાનું આવ્યું દાન, 60 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા..

Ram Mandir: 23 જાન્યુઆરીથી લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. હાલ રામ ભક્તોની ભક્તિ એવી છે કે તેઓ રામલલા માટે ચાંદી અને સોનાથી બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે

by Hiral Meria
so far 25 crore rupees have been donated for Ram Mandir, 60 lakh devotees visited Ramlala.

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) નવનિર્મિત રામ મંદિરના અભિષેક બાદ એક મહિનામાં 25 કિલો સોના અને ચાંદીના ઘરેણાં ( Gold Ornaments ) સહિત મંદિરને લગભગ 25 કરોડ રૂપિયાનું દાન ( Donation ) મળ્યું છે. રામ મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 25 કરોડ રૂપિયાની રકમમાં મંદિર ટ્રસ્ટ ઓફિસમાં જમા કરાયેલા ચેક, ડ્રાફ્ટ અને રોકડ તેમજ દાન પેટીઓમાં જમા કરવામાં આવેલી રકમનો સમાવેશ થાય છે. 

ઓફિસના પ્રભારીએ વધુમાં કહ્યું હતું કે, ’23 જાન્યુઆરીથી લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ ( Devotees ) મુલાકાત લીધી છે.’ તેમ જ રામ ભક્તોની ભક્તિ એવી છે કે તેઓ રામલલા માટે ચાંદી અને સોનાની ( Gold Donation ) બનેલી વસ્તુઓનું દાન કરી રહ્યા છે, જેનો ઉપયોગ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થઈ શકતો નથી. તેમ છતાં, ભક્તોની ભક્તિને ધ્યાનમાં રાખીને, રામ મંદિર ટ્રસ્ટ (  Ram Mandir Trust ) સોના-ચાંદીની વસ્તુઓ, ઘરેણાં, વાસણો અને દાન સ્વીકારી રહ્યું છે.

 રામ નવમી તહેવાર દરમિયાન દાનમાં વધારો થવાની અપેક્ષા છે..

એક અહેવાલ મુજબ, મંદિર ટ્રસ્ટને રામ નવમી તહેવાર દરમિયાન દાનમાં વધારો થવાની અપેક્ષા છે. કારણ કે તે સમયે લગભગ 50 લાખ ભક્તો અયોધ્યા આવવાની ધારણા છે. પ્રભારીના જણાવ્યા અનુસાર, એવી અપેક્ષા છે કે રામ નવમી દરમિયાન દાનના રૂપમાં મોટી રકમની રોકડ પ્રાપ્ત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રામ જન્મભૂમિ પર ચાર ઓટોમેટિક કાઉન્ટિંગ મશીન લગાવ્યા છે. “ટ્રસ્ટ દ્વારા રસીદો આપવા માટે એક ડઝન કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે અને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં વધારાની દાન પેટીઓ પણ રાખવામાં આવી રહી છે,” તેમજ રામ મંદિર પરિસરમાં ટૂંક સમયમાં એક મોટો અને સુસજ્જ કાઉન્ટિંગ રૂમ પણ બનાવવામાં આવશે .

આ સમાચાર પણ વાંચો :  Weather Update: મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસમાં કમોસમી વરસાદની શક્યતા.. તો કેટલાક રાજ્યમાં એલર્ટ જારીઃ હવામાન વિભાગ..

મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રામ લલ્લાને ભેટ તરીકે આપવામાં આવેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી સામગ્રીને ઓગળવાની અને જાળવવાની જવાબદારી મૂલ્યાંકન માટે ભારત સરકારની ટંકશાળને સોંપવામાં આવી છે. મિશ્રાએ કહ્યું કે આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ટ્રસ્ટ વચ્ચે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એમઓયુ મુજબ, દાન, ચેક, ડ્રાફ્ટ અને રોકડ એકત્ર કરવાની અને તેને બેંકમાં જમા કરવાની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ બેંક લેશે. મિશ્રાએ કહ્યું કે સ્ટેટ બેંકની ટીમે કર્મચારીઓની સંખ્યા વધારીને પોતાનું કામ શરૂ કરી દીધું છે અને દાનમાં મળેલી રોકડની ગણતરી દરરોજ બે શિફ્ટમાં કરવામાં આવી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More