Pune: પુણે મહાનગરપાલિકાએ આવકવેરો ચૂકવણી ન કરવા બદલ કેન્દ્રીય મંત્રીની પ્રોપર્ટી કરી સીલ..

Pune: મનપાએ આવકવેરાની બાકીની રકમ જેઓને નોટીસ મળ્યા બાદ પણ નથી ભરી તેવા ડિફોલ્ટરો પાસેથી વસુલાત માટે ઝુંબેશ શરૂ કરી છે અને ડિફોલ્ટરોની વસૂલાત માટે સોમવારથી આવકવેરાની બાકી રકમ ન ભરનાર કરદાતાઓ સામે કડક એક્શન લેવાનું શરુ કર્યું છે.

by Bipin Mewada
Pune Pune Municipal Corporation sealed Union Minister's property for non-payment of income tax

News Continuous Bureau | Mumbai 

Pune: પુણેના મધ્ય ભાગમાં આવેલા ડેક્કન વિસ્તારમાં કેન્દ્રીય મંત્રીની પ્રોપર્ટીને પુણે મહાનગરપાલિકાના ( Pune Municipal Corporation) ટેક્સ કલેક્શન વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. કારણ કે તેમની પ્રોપર્ટીનું લગભગ સાડા ત્રણ કરોડનો આવકવેરો ભરવાનો બાકી હતો. જેથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવ્યા બાદ પણ આ વેરો ભરવામાં આવ્યો ન હતો. આખરે મહાનગરપાલિકાએ ત્રણ માળની બિલ્ડીંગના ઉપરના બે માળને સીલ મારી દીધું છે. 

મનપાએ આવકવેરાની ( Income tax ) બાકીની રકમ જેઓને નોટીસ મળ્યા બાદ પણ નથી ભરી તેવા ડિફોલ્ટરો પાસેથી વસુલાત માટે ઝુંબેશ શરૂ કરી છે અને ડિફોલ્ટરોની ( defaulters ) વસૂલાત માટે સોમવારથી આવકવેરાની બાકી રકમ ન ભરનાર કરદાતાઓ સામે કડક એક્શન લેવાનું શરુ કર્યું છે. તેમજ મહાનગરપાલિકા પાસેથી આવકવેરાની બાકી વસુલાત માટે શહેરમાં મોટી રકમની પ્રોપર્ટીને સીલ ( Property Seal )  કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે 2400 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે…

વાસ્તવમાં શિવાજીનગર વિભાગની હદમાં ડેક્કન કોર્નર ( Deccan Corner ) ખાતે એક મોલ આવેલો છે. મોલ પાસે કુલ રૂ. 5.6 કરોડનું બાકી હતું, જેમાંથી રૂ. 1 કરોડ 40 લાખ હિસ્સેદારોએ એક માળ માટે ચૂકવ્યા હતા. જે બાદ વહીવટી તંત્ર દ્વારા ઉપરના બે માળના 3 કરોડ 77 કરોડનું ટેક્સ ચૂકવવો બાકી હતો. જેમાં પાલિકા દ્વારા વારંવાર ફોલોઅપ કરવામાં આવ્યું હતું. પરંતુ સંબંધિતો દ્વારા તેની દરકાર કરવામાં આવી ન હતી. આથી આજે પાલિકાની ટીમે આ ઉપરના બે માળની પ્રોપર્ટીને સીલ મારી દીધી છે.

આ સમાચાર પણ વાંચો :   Himachal Political Crisis: હિમાચલમાં પૂર્વ CM જયરામ ઠાકુરે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, જયરામ ઠાકુરે બજેટમાં વિભાજનની માંગ કરી.

જોકે, થોડા સમય બાદ સીલ હટાવવા દબાણ વધવા લાગ્યું હતું. ત્યારે આ આવક કેન્દ્રીય મંત્રીના ( Union Minister ) પુત્રના નામે હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મહાનગરપાલિકાએ જ્યાં સુધી ટેક્સની બાકીની રકમ નહીં ભરાય ત્યાં સુધી સીલ નહીં હટાવવાની સ્પષ્ટતા કરતાં. આ કાર્યવાહીની મહાપાલિકામાં સારી એવી ચર્ચા થઈ હતી.

દરમિયાન મંગળવાર સુધીમાં અંદાજે 1976 કરોડનો આવકવેરો વસૂલવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે 2400 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. ડિફોલ્ટરો સામે કડક એકશન લેવાનું શરૂ કર્યું છે. આ કાર્યવાહીમાં એવા ડિફોલ્ટરોનો સમાવેશ પણ થાય છે કે, જેના માટે જેને વારંવાર બાકીની આવકવેરાની રકમ માટે નોટીસ આપવા છતાં, તેની અવગણના કરવામાં આવી. આ સંખ્યા 1200 છે. તો મળતી માહિતી મુજબ, પ્રોપર્ટી સીલના ભયને કારણે સોમવારે (26) મહાનગરપાલિકા પાસે 8 કરોડ 45 લાખની આવક ભેગી થઈ છે. કાર્યવાહી કર્યા બાદ 1 કરોડ 58 લાખની આવક એકત્ર કરવામાં આવી હતી. જેથી મંગળવારે કાર્યવાહીના ભયથી ડિફોલ્ટરો પાસેથી રૂ.8 કરોડનો આવકવેરો વસૂલવામાં આવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More