Home Ministry Action : ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કાસિમ ગુજ્જરને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો..

Home Ministry Action : ગૃહ મંત્રાલય એ લશ્કર-એ-તૈયબાના સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક પોસ્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

by kalpana Verat
Home Ministry Action MHA declares PoK-based LeT member Mohammad Qasim Gujjar designated terrorist under UAPA

News Continuous Bureau | Mumbai

Home Ministry Action : ભારત સરકારે લશ્કર-એ-તૈયબાના સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો છે. તેને ગેરકાનૂની ગતિવિધિઓ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે UAPA હેઠળ આતંકવાદી ( Terrorist ) જાહેર કરવામાં આવ્યો છે. કાસિમ હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહે છે.  કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એક પોસ્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. 

ગૃહ મંત્રાલય ( MHA ) દ્વારા કહેવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા (LeT)ના સભ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જરે આતંકવાદી હુમલામાં ઘણા લોકોની હત્યા કરી છે. તેના હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. તે ભારત ( India ) સામે હુમલાના કાવતરામાં સામેલ છે. આ પોસ્ટમાં, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જે પણ વ્યક્તિ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળશે તેની સાથે ક્રૂરતાથી કાર્યવાહી કરવામાં આવશે.

મોહમ્મદ કાસિમ ગુજ્જર 2022 માં માતા વૈષ્ણો દેવીના તીર્થયાત્રીઓ પરના હુમલા પાછળ મુખ્ય કાવતરાખોર હતો જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા હતા.  કાસિમ 2021 માં જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતાના ઘર પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતો, જેના પરિણામે એક સગીર છોકરાનું મૃત્યુ થયું હતું અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.  

આ સમાચાર પણ વાંચો : Katas Raj Temple : પાકિસ્તાનમાં ઉજવાશે મહાશિવરાત્રી, જ્યાં પડ્યા હતા ભગવાન શિવજીના આંસુ.. જાણો આ પૌરાણિક મંદિર નું મહત્વ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More