News Continuous Bureau | Mumbai
Arun Govil: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં રહે છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. આ અગાઉ રામાનંદ સાગર ની રામાયણ માં અરુણ ગોવિલ એ ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા ભજવીને અરુણ ગોવિલ ઘર ઘર માં લોકપ્રિય બન્યા હતા. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરુણ ગોવિલે રણબીર કપૂર ના રામ નું પાત્ર ભજવવા વિશે વાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા
અરુણ ગોવિલે રણબીર કપૂર ના કર્યા વખાણ
મીડિયા સાથે ની વાતચીત દરમિયાન અરુણ ગોવિલે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને રણબીર કપૂર ના પાત્ર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાત કરતાં અરુણ ગોવિલે કહ્યું, ‘આ ફિલ્મ હિટ થશે કે નહીં તે તો સમય જ કહેશે. અગાઉથી કંઈ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી રણબીરની વાત છે, તે એક સારો અને મહેનતુ અભિનેતા છે. તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા છે. હા, પણ જ્યાં સુધી હું તેને ઓળખું છું, તેઓ ખૂબ સંસ્કારી બાળકો છે. તે એક પ્રામાણિક અભિનેતા છે, તેની પાસે મૂલ્યો અને સંસ્કૃતિ છે. મને લાગે છે કે તે આ રોલ સારી રીતે નિભાવશે.’
Ranbir Kapoor is an award winning actor, bht mehnat se kaam karta hai, sanskari bache hai and he has morals, sanskar and sanskriti hai – Arun Govil about Ranbir Kapoor as Lord Ram#RanbirKapoor pic.twitter.com/WnSWQxn5DT
— 𝙑amsi ♪ (@RKs_Tilllast) March 11, 2024
મીડિયા રિપોર્ટ અનુસાર, અરુણ ગોવિલ નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકા ભજવી શકે છે. જોકે હજુ સુધી નિતેશ તિવારી કે અરુણ ગોવિલ તરફ થી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)