Lok Sabha Election on China: ભારતમાં ચૂંટણીની જાહેર થતાંની સાથે ચીન કેમ ડર્યું? ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ઝેર ફેલાવ્યું.

Lok Sabha Election on China: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તાની બાગડોર સંભાળી શકે છે. ચીન અને ભારત પડોશી રાજ્યો છે, તેથી ચીનનું મીડિયા ભારતની સૌથી મોટી ચૂંટણી પર નજીકથી નજર રાખી રહ્યું છે

by Bipin Mewada
Lok Sabha Election in China Why did the fear spread in China as soon as the election dates were announced in India China is poisoned by the media again.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election on China: ભારતમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચીનમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. ચીનનું ( China )  માઉથપીસ કહેવાતા ગ્લોબલ ટાઈમ્સે ભારત વિશે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. હવે ચીનને ડર છે કે લોકસભાના ઉમેદવારો પોતાના ફાયદા માટે ચૂંટણીમાં ચીનનો પર્દાફાશ કરી શકે છે. ચીનના અખબારે આ અંગે એક લેખ પ્રકાશિત કર્યો છે. 

ગ્લોબલ ટાઈમ્સે ( Global Times ) રવિવારે પ્રકાશિત એક લેખમાં લખ્યું છે કે, ‘ ભારતમાં ( India ) લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. સાત તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તાની બાગડોર સંભાળી શકે છે. ચીન અને ભારત પડોશી રાજ્યો છે, તેથી ચીનનું મીડિયા ભારતની સૌથી મોટી ચૂંટણી પર નજીકથી નજર રાખી રહ્યું છે, કારણ કે બંને દેશો વચ્ચે વારંવાર સરહદી વિવાદ ( border dispute ) થતો રહે છે. વર્ષ 2020 માં, ગલવાન ઘાટીમાં બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 4 ચીની અને 20 ભારતીય સૈનિકોએ ( Indian soldiers ) જીવ ગુમાવ્યો હતો.

 ચીન અને ભારત વચ્ચે સતત વેપારમાં સુધારો થયો છેઃ ગ્લોબલ ટાઈમ્સ ચાઈના..

ચીની મુખપત્રે આગળ લખ્યું હતું કે, ‘ચીન અને ભારત વચ્ચે સતત વેપારમાં સુધારો થયો છે, જેના પર ચીની મીડિયા નજીકથી નજર રાખતી રહી છે. વર્ષ 2023માં બંને દેશો વચ્ચે 136.22 અબજ ડોલરનો વેપાર થયો હતો, જે ગયા વર્ષ કરતાં 1.5 ટકા વધુ હતો. આ સમયગાળા દરમિયાન, ચીનની ભારતમાં નિકાસ 117.68 અબજ ડોલરની હતી અને ચીનમાં ભારતની નિકાસ માત્ર 18.54 અબજ ડોલર હતી. આવી સ્થિતિમાં ભારત ચીન સાથે સતત વેપાર ખાધમાં ચાલી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Cyber Risk on Banks: ભારતીય બેંકો પર સાયબર હુમલાનો ખતરો વધ્યો, RBI તમામ બેંકોને સાવધાન રહેવાની આપી ચેતવણી..

દરમિયાન, ગ્લોબલ ટાઈમ્સે પોતાની ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘ભારતમાં યોજાનારી ચૂંટણી દરમિયાન ચીન સાથે વેપાર ખાધ એક મુદ્દો બની શકે છે.’ ચીનના મુખપત્રે કહ્યું, અમને ડર છે કે ભારતીય મીડિયા ચૂંટણી દરમિયાન વેપાર ખાધને લઈને ચીન વિરુદ્ધ વાતાવરણ બનાવી શકે છે. આ પહેલા પણ ભારતીય સરકાર આવું કરી ચુક્યું છે. ઘણા ઉમેદવારો વધુ મત મેળવવા માટે ચીનનો મુદ્દો ઉઠાવી શકે છે, આવી સ્થિતિમાં ચીનને મોટું નુકસાન થઈ શકે છે. ચૂંટણીના ઉમેદવારો વધુ મત મેળવવા માટે ચીન વિરોધી વાતાવરણ બનાવી શકે છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More