Onion Export Ban: આમ આદમીને નહીં રડાવે કસ્તુરી, ડુંગળીના નિકાસ પર સરકારનો મોટો નિર્ણય.. વેપારીઓને કર્યા નિરાશ.. 

Onion Export Ban: ભારતે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો છે. સરકારના આ પગલાથી સામાન્ય ચૂંટણી પહેલા વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ વધી શકે છે. વિશ્વના સૌથી મોટા ડુંગળી નિકાસકાર ભારત દ્વારા ડિસેમ્બરમાં લાદવામાં આવેલ પ્રતિબંધ 31 માર્ચે સમાપ્ત થવાનો હતો.

by kalpana Verat
Onion Export Ban Govt extends ban on onion exports till further orders

News Continuous Bureau | Mumbai 

Onion Export Ban: લોકસભા ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે આજે ડુંગળીની નિકાસ પર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમય મર્યાદા 31 માર્ચના ખતમ થઇ રહી હતી. હવે આ પ્રતિબંધને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે. આ ચોંકાવનારા નિર્ણયને દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે સામાન્ય ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવ વધે. સરકારના આ નિર્ણયને કારણે કેટલાક વિદેશી બજારોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે છે.

આ પ્રતિબંધ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો હતો

ભારત ડુંગળીનો સૌથી મોટો નિકાસકાર છે. દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ 31 માર્ચ 2024 સુધી હતી. પ્રતિબંધ બાદ ભારતમાં ડુંગળીના ભાવ અડધાથી પણ ઓછા દરે આવી ગયા છે. આ ઉપરાંત સીઝનનો નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે.  એટલે વેપારીઓને આશા હતી કે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવીને તેમને સારા સમાચાર આપશે. પરંતુ સરકારે તેનાથી વિપરીત નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે આ અંગે આદેશ જારી કર્યો હતો. જેમાં આગામી આદેશ ન આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Metro : દિલ્હી મેટ્રોમાં યુવતીઓએ રમી હોળી, પણ કર્યો અશ્લીલ ડાન્સ; જુઓ વિડીયો..

જણાવી દઈએ કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીએફટી વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે અને આયાત-નિકાસ સંબંધિત મુદ્દાઓનું ધ્યાન રાખે છે.

ડુંગળીના ભાવ ચાર ગણા નીચે આવ્યા છે

જોકે નિકાસ કરતી કંપનીઓએ આ નિર્ણયને બિનજરૂરી ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે પુરવઠામાં વધારો અને ભાવમાં ઘટાડો થવા છતાં ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવી રહી છે. આ યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ ઘટીને 1200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. ડિસેમ્બરમાં ડુંગળીના ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હતા. બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત અમીરાત ભારતમાંથી આવતા ડુંગળી પર ઘણી હદ સુધી નિર્ભર છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More