Lok Sabha Election: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જૂથ તેમના 17 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી શકે છેઃ અહેવાલ..

Lok Sabha Election: મુંબઈની 6 લોકસભા બેઠકોમાંથી શિવસેના 4 પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 2 બેઠકો પર ચૂંટણી લડશે. તે જ સમયે, મુંબઈ અને નજીકના વિસ્તારોમાં એક પણ લોકસભા સીટ NCPના ખાતામાં જશે નહીં.

by Bipin Mewada
Lok Sabha Election Uddhav Thackeray group may announce their list of 17 candidates for Lok Sabha polls in Maharashtra today Report..

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election: દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. અન્ય રાજ્યોની સાથે મહારાષ્ટ્રમાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાજ્યની તમામ પાર્ટીઓ લોકસભા ચૂંટણીની જોરદાર તૈયારી કરી રહી છે. દરમિયાન, સમાચાર પ્રાપ્ત થયા છે કે શિવસેના ( Shiv sena UBT ) આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં 15-16 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે મુંબઈની 6 લોકસભા બેઠકોમાંથી ( Lok Sabha seats ) શિવસેના 4 પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 2 બેઠકો પર ચૂંટણી લડશે. તે જ સમયે, મુંબઈ અને નજીકના વિસ્તારોમાં એક પણ લોકસભા સીટ NCPના ખાતામાં જશે નહીં. મિડિયા રિપોર્ટ અનુસાર પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 17 લોકસભા સીટો માટે સંભવિત ઉમેદવારોના નામ ફાઈનલ કરી લીધા છે.

 યુટીબી મુંબઈમાંથી 4 બેઠકો પર ઉમેદવારોના નામો જાહેર કરશે..

મિડીયા રિપોર્ટ મુજબ, પાર્ટીએ જે 17 બેઠકો પર ઉમેદવારોના ( Candidates list ) નામ નક્કી કર્યા છે તેમાં મુંબઈની 4 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં શિવસેનાએ ઉત્તર મુંબઈથી વિનોદ ઘોસાલકર, પૂર્વ મુંબઈથી સંજયદીના પાટીલ, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત અને દક્ષિણ મધ્ય મુંબઈથી અનિલ દેસાઈનું નામ આપ્યું છે.

આ સિવાય પાર્ટી છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ)થી ચંદ્રકાંત ખૈરે, બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, યવતમાલથી સંજય દેશમુખ, ઉસ્માનાબાદથી ઓમરાજ નિમ્બાલકર, પરભણીથી બંધુ જાધવ, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે અને નાશીકમાંથી વિજય કરંજકરને મેદાનમાં ઉતારી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Khalistani terrorist Pannu: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કર્યો મોટો દાવો,, કહ્યું ખાલિસ્તાનીઓએ કેજરીવાલને આ આતંકવાદીને છોડવાના વચનના બદલે AAPને ₹133 કરોડ આપ્યા…

રાજન વિચારેને થાણે માટે, અનંત ગીતેને રાયગઢ માટે, નાગેશ અષ્ટિકરને હિંગોલીમાં, વિનાયક રાઉતને રત્નાગીરી સિંધુદુર્ગ માટે, ચંદ્રહાસ પાટીલને સાંગલી માટે, સંજોગ વાઘેરેને માવલ માટે ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. તો હાલમાં, કલ્યાણ-ડોમ્બિવલી, પાલઘર અને જાલના બેઠકો માટે ઉમેદવારોના નામ પર કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.

નોંધનીય છે કે, 2019માં શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ ગઠબંધને રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 41 બેઠકો જીતી હતી. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભાજપે 23 બેઠકો જીતી હતી અને તેની સહયોગી શિવસેનાએ 18 બેઠકો જીતી હતી. જોકે, આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કારણ કે શિવસેનામાં ભાગલા પડી ગયા છે. તેથી હવે ( Uddhav Thackeray ) ઉધ્ધવ ઠાકરે જુથ, કોંગ્રેસ અને શરદ પવાર જુથ સાથે મળીને ચૂંટણી લઈ રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More