News Continuous Bureau | Mumbai
Afghanistan: અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાનનું વલણ બદલાઈ રહ્યું છે. ભારતની નજીક જવા માટે તાલિબાને હવે અફઘાનિસ્તાનમાં હિંદુઓની છીનવેલી જમીન પરત કરવાનો નિર્ણય લીધો છે. તાલિબાને શીખોની છીનવાઈ ગયેલી જમીન પરત કરવાની વાત પણ કરી છે.
અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો પાસેથી ખોટી રીતે છીનવાઈ ગયેલી જમીનો ( Lands ) પરત કરવામાં આવશે. આ સાથે તાલિબાન ( Taliban ) સરકાર હિંદુ અને શીખ પરિવારોની વાપસીની પણ તૈયારી કરી રહી છે. આ માટે એક કમિશનની પણ રચના કરવામાં આવી છે, જે આ મામલે બારીક નજર રાખશે. જો કે તાલિબાન સરકારનો આ નિર્ણય ખૂબ જ આશ્ચર્યજનક છે.
છેલ્લા ત્રણ વર્ષમાં હિન્દુ અને શીખ પ્રતિનિધિઓએ કાબુલમાં તાલિબાન અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી…
મીડિયા અહેવાલો અનુસાર, તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા સુહૈલ શાહીને નિવેદન આપતા જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થામાં ( Afghanistan Economy ) ઐતિહાસિક ભૂમિકા ભજવનારા હિન્દુ ( Hindu ) અને શીખ ( Sikh ) પરિવારોની પરત ફરવાની ખાતરી કરવા માટે એક કમિશનની પણ રચના કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરમાં અફઘાન સંસદના ભૂતપૂર્વ સભ્ય નરેન્દ્ર સિંહ ખાલસા કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.
હકીકતમાં, ઓગસ્ટ 2021 માં તાલિબાનના કબજા સાથે દેશની સંસદ ભંગ કરી દેવામાં આવી હતી. જે બાદ ઘણા લઘુમતીઓએ અન્ય દેશોમાં આશરો લીધો હતો. નેધરલેન્ડ સ્થિત અફઘાન કોમેન્ટેટર સંગર પાયખારે કહ્યું કે નરેન્દ્ર સિંહ ખાલસા અને તેમના પરિવારનું પરત ફરવું એ દર્શાવે છે કે અફઘાનિસ્તાન એવા ધાર્મિક લઘુમતીઓના નેતાઓને આવકારે છે જેઓ પરત ફરવા ઈચ્છે છે.
આ સમાચાર પણ વાંચો : Heeramandi: જાણો ‘હીરામંડી’ ના તે ડિઝાઈનર વિશે જેમને બનાવ્યા છે મનીષા અને સોનાક્ષી ના અમૂલ્ય પોશાક, આઉટફિટ બનાવવામાં લાગ્યો અધધ આટલા વર્ષ નો સમય
તાલિબાન સત્તામાં આવ્યા પછી જ અફઘાનિસ્તાનમાં સ્થાયી થયેલા મોટાભાગના હિંદુઓ અને શીખો ભારતમાં ભાગી ગયા હતા. 2022માં કાબુલમાં એક ગુરુદ્વારા પર હુમલો થયો હતો, જેની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી હતી. આ હુમલાથી ત્યાં સ્થાયી થયેલા છેલ્લા હિંદુઓ અને શીખોને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી. અફઘાનિસ્તાનમાંથી ભાગીને ઘણા શીખો અને હિંદુઓએ ભારતમાં આશરો લીધો હતો. ભારત સરકારે અફઘાનમાં સ્થાયી થયેલા આ હિન્દુઓ અને શીખોને હવાઈ માર્ગે બહાર કાઢ્યા હતા.
2021માં તાલિબાન સત્તામાં આવતાની સાથે જ અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખો પર હુમલા વધી ગયા હતા. ગુરુદ્વારાને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. દરમિયાન, અફઘાનિસ્તાન ઇન્ટરનેશનલ પોર્ટલે 9 એપ્રિલના રોજ નરેન્દ્ર સિંહ ખાલસાના પરત ફર્યાની જાણ કરી હતી, જેઓ અફઘાન સંસદમાં હિન્દુઓ અને શીખોના એકમાત્ર પ્રતિનિધિ હતા. તાલિબાન સરકાર હિંદુઓ અને શીખો દ્વારા પડાવી લેવામાં આવેલી જમીન પરત કરવા માટે કામ કરી રહી હોવાના અહેવાલો વચ્ચે ખાલસાનું અફઘાનિસ્તાન પરત ફરવું મહત્વપૂર્ણ છે.