Amit Shah: UCCને લઈને અમિત શાહે કરી મોટી જાહેરાત, ભાજપ ત્રીજી વખત જીતશે તો સમગ્ર ભારતમાં એક જ કાયદો લાગુ થશે.

Amit Shah: શું દેશને શરિયાના આધારે ચલાવવો જોઈએ, પર્સનલ લોના આધારે ચલાવવો જોઈએ? આમ કોઈ દેશ ક્યારેય ચાલ્યો નથી. કોઈપણ લોકતાંત્રિક દેશમાં પર્સનલ લો નથી હોતો. દુનિયામાં આવું કેમ છે?

by Bipin Mewada
Amit Shah has made a big announcement regarding UCC, if BJP wins for the third time, one law will be applicable in all India..

News Continuous Bureau | Mumbai

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ ( UCC )ને લઈને મોટી વાત જાહેરાત કરી હતી. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, જો ભાજપ ( BJP ) કેન્દ્રમાં સતત ત્રીજી વખત જીતશે તો તે આખા દેશમાં UCC કાયદો લાગુ કરશે. તેમનું કહેવું છે કે કોઈપણ લોકતાંત્રિક દેશ વ્યક્તિગત કાયદાથી નથી ચાલતો. 

મિડીયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું હતું કે, શું દેશને શરિયાના આધારે ચલાવવો જોઈએ, પર્સનલ લોના આધારે ચલાવવો જોઈએ? આમ કોઈ દેશ ક્યારેય ચાલ્યો નથી. કોઈપણ લોકતાંત્રિક દેશમાં પર્સનલ લો નથી હોતો. દુનિયામાં આવું કેમ છે?

Amit Shah: વિશ્વમાં ઘણા એવા મુસ્લિમ દેશો છે. જ્યાં શરિયા કાયદાનું પણ પાલન થતું નથી..

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે, વિશ્વમાં ઘણા એવા મુસ્લિમ દેશો છે. જ્યાં શરિયા કાયદાનું ( Sharia law ) પણ પાલન થતું નથી. હવે સમય આગળ વધ્યો છે. હવે ભારતે પણ આગળ વધવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી એ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા તેના મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા મુખ્ય ચૂંટણી વચનોમાંથી એક છે.

આ સમાચાર પણ વાંચો : Corona: શું કોવિડ સાયલન્ટ કિલર બની ગયો છે? બે વર્ષમાં દર્દીના શરીરમાં 50 વખત પરિવર્તિત થયો, આખરે જીવ લીધો.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, તમામ લોકતાંત્રિક દેશોમાં ( democratic countries ) હાલ સમાન નાગરિક સંહિતા કાયદો છે અને હવે સમય આવી ગયો છે કે ભારતે પણ આવું જ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે UCC એ બંધારણ સભા દ્વારા દેશને આપેલું વચન હતું જ્યારે બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું.

ગૃહમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડની ટીકા કરવા બદલ કોંગ્રેસ ( Congress ) પર પ્રહાર પણ કર્યા હતા. તેમણે પ્રહારો કરતા કહ્યું હતું કે, સેક્યુલર દેશમાં બધા માટે એક જ કાયદો ન હોવો જોઈએ? આ ધર્મનિરપેક્ષતાની સૌથી મોટી નિશાની છે. કોંગ્રેસ ધ્રુવીકરણથી ડરતી નથી, તે તેમાં લિપ્ત છે. વોટ બેંકની રાજનીતિને કારણે કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. આપેલા વચનો પૂરા ન કરવા બદલ તે નિષ્ફળ ગઈ છે.

અમિત શાહે કહ્યું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ આ કાયદા પર સામાજિક, ન્યાયિક અને સંસદીય દૃષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવશે. આઝાદી પછી, ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More