Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં ઓછા મતદાન બાદ ભાજપનું ટેન્શન વધ્યું, ચૂંટણીની રણનીતિમાં ફેરફાર..

Lok Sabha Election 2024: પાર્ટીના રણનીતિકારો માને છે કે કેન્દ્રીય મુદ્દાનો અભાવ, ભારે ગરમી અને અન્ય કેટલાક કારણોસર સમાજના તમામ વર્ગોમાં મતદાનમાં ઘટાડો થયો છે. પાર્ટીના વરિષ્ઠ ચૂંટણી વ્યૂહરચનાકારના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કા પછી, બૂથ મેનેજમેન્ટને લઈને ટોચના સ્તરે નવેસરથી નવા પ્લાનો ઘડવામાં આવ્યા છે.

by Bipin Mewada
Lok Sabha Election 2024 After low turnout in the first phase, BJP's tension increased, change in election strategy..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં ઓછા મતદાને આગળના તબક્કાઓ અંગે હવે ચિંતા વધારી દીધી છે. પ્રથમ તબક્કામાં આઠ બેઠકો પર મતદાન 2019ની સરખામણીમાં પાંચથી નવ ટકા ઓછું હતું. મતદારોની નિરાશાએ રાજકીય પક્ષોથી લઈને ચૂંટણીપંચ સુધીની ચિંતામાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ભાજપ ( BJP ) સહિત તમામ પક્ષોએ આગામી પગલાં માટે નવી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. 

તેથી બીજેપી હાઈકમાન્ડે બીજા તબક્કામાં દરેક મતદારોને બુથ સુધી લાવવાની રણનીતિ અમલમાં મૂકવા જણાવ્યું છે. વરિષ્ઠ નેતાઓને ( senior leaders )  પ્રચાર સભાઓ અને રોડ શો તેમજ મતદાન ( Voting ) પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.

  Lok Sabha Election 2024: ભાજપને તેની રણનીતિ બદલવાની ફરજ પડી છે..

પાર્ટીના રણનીતિકારો માને છે કે કેન્દ્રીય મુદ્દાનો અભાવ, ભારે ગરમી અને અન્ય કેટલાક કારણોસર સમાજના તમામ વર્ગોમાં મતદાનમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં રાજ્યની 12 બેઠકો પર મતદાનની ટકાવારી ઘટી હતી. ચૂંટણી પંચ ( Election Commission ) સહિતની તમામ સંસ્થાઓના તમામ પ્રયાસો છતાં મતદાનની ટકાવારીમાં ઘટાડાથી ભાજપના નેતૃત્વની ઊંઘ હરામ થઈ ગઈ હતી. હાલમાં, બીજા તબક્કામાં 13 બેઠકો પર મતદાન થવાનું છે, જેના પર મતદાનની ટકાવારી વધારવા માટે ભાજપને તેની રણનીતિ બદલવાની ફરજ પડી છે. હવે દરેક મતદાર પર ઘરથી લઈને બૂથ સુધી નજર રાખવાની જવાબદારી વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  fact check : શું સાચે ટ્રેનમાં ચઢવામાં નિષ્ફળતા બાદ પેસેન્જરે તોડી નાખ્યો એસી કોચના દરવાજાનો ગ્લાસ, રેલવેએ દાવાને ફગાવ્યા; કરી સ્પષ્ટતા; જુઓ વિડીયો..

તેમજ પાર્ટીના બૂથ કાર્યકરોને ઘરે-ઘરે જઈને મતદાન માટે અપીલ કરવા અને મતદાન માટે પીળા ચોખા અને મતદાર સ્લિપનું વિતરણ કરવા કહેવામાં આવ્યું છે. જો કે, રાજ્યમાં આકરી ગરમી કારણે પણ મતદારો બપોરના સમયે ઘરની બહાર નીકળ્યા ન હતા. તો પાનખર ઋતુના કારણે છેલ્લા ત્રણ દિવસથી લોકો લગ્નમાં વ્યસ્ત રહ્યા હતા. તેથી પણ મતદાન ઘટયુ હોવાની શક્યતા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More