News Continuous Bureau | Mumbai
SRH vs MI: IPL 2024 ની 55મી મેચમાં, સોમવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં ( Wankhede Stadium ) સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક સદીને કારણે, મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 16 બોલ બાકી રહેતા 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. પરંતુ, સતત ફ્લોપ સાબિત થઈ રહેલા રોહિત શર્માએ આ મેચમાં પણ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તે પાંચ બોલમાં માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. IPLની વર્તમાન સિઝનમાં ભારતીય ટીમનો કેપ્ટન અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે. આ કારણે મુંબઈ ઈન્ડિયન્સની હાલત પણ ખરાબ છે અને હાલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. રોહિતે આ સિઝનમાં ચોક્કસપણે સદી ફટકારી હતી, પરંતુ તે પછી રોહિત શર્મા છેલ્લી 5 મેચમાં ( IPL 2024 ) ફોર્મમાં પરત આવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે.
Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc
— Gaurav (@Melbourne__82) May 6, 2024
સનરાઈઝર્સ હૈદરાબાદ ( Sunrisers Hyderabad ) સામે મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ( Rohit Sharma ) 5 બોલમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ફરી એકવાર સસ્તામાં આઉટ થયા બાદ તે નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ તે ડ્રેસિંગ રૂમમાં પણ રોહિત ઉદાસ દેખાઈ રહ્યો હતો. રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં રડતો અને આંસુ લૂછતો પણ જોવા મળ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી વાયરલ ( Viral Video ) થઈ રહી છે.
SRH vs MI: હૈદરાબાદ સામે સુર્યકુમારની આક્રમક બેટીંગ…
T20 વર્લ્ડ કપ 2024 પહેલા રોહિત શર્માના ફોર્મે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો વધારી દીધો છે. પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેએ X પર પોસ્ટ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રોહિત શર્માની અસફળ ઇનિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતુ્ં કે રોહિત શર્માનું ફોર્મ હવે ચિંતાનો વિષય બની ગયો છે. તેણે પ્રથમ 7 ઇનિંગ્સમાં 297 રન બનાવ્યા હતા અને છેલ્લી 5 ઇનિંગ્સમાં માત્ર 34 રન બનાવ્યા હતા. તેથી હવે આ ખરાબ ફોર્મનો મક્કમતાથી અંત લાવવાની જરૂર છે.
Rohit Sharma’s form is a bit of a concern now. 297 in his first 7 innings, just 34 from his next 5. Needs to finish strongly.
— Harsha Bhogle (@bhogleharsha) May 6, 2024
આ સમાચાર પણ વાંચો : EPFO Rules: EPFO તેમના ખાતાધારકોને આપશે 50,000 રૂપિયાનું બોનસ, માત્ર આ શરત પૂરી કરવી પડશે!
વાત કરીએ હૈદરાબાદ સામેની મેચની તો મુંબઈની ( Mumbai Indians ) ટીમના ટોપના 3 બેસ્ટમેનોના તરત વિકેટ પડી જતા ટીમ દબાણમાં આવી ગઈ હતી. જે બાદ સૂર્યકુમાર યાદવે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સૂર્યા અને તિલકની ભાગીદારીથી મુંબઈએ 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા હતા. મુંબઈને છેલ્લી 5 ઓવરમાં 35 રનની જરૂર હતી. આગામી 2 ઓવરમાં 28 રન આવ્યા હતા. જેમાં પેટ કમિન્સની ઓવરના 18 રન બન્યા હતા. અહીંથી, મુંબઈ માટે એકતરફી મેચ થઈ ગઈ હતી. કારણ કે ટીમને 18 બોલમાં માત્ર 7 રનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવે 18મી ઓવરના બીજા બોલ પર સિક્સ ફટકારીને 52 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને મુંબઈની 7 વિકેટે જીત પર મહોર મારી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)