Lok Sabha Election Results: અધીર રંજન ચૌધરીથી લઈને ઓમર અબ્દુલ્લા સુધી આ મોટા દિગ્ગજોને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો

Lok Sabha Election Results: દેશમાં ગઈકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. આ પરિણામમાં ઘણા નેતાઓને જીતનો હાર મળ્યો હતો. પરંતુ આ વખતે ઘણા એવા દિગ્ગજ નેતાઓને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

by Bipin Mewada
From Smriti Irani, Annamalai to Adhir Ranjan Chowdhury and Omar Abdullah The Biggest Upset in the 2024 Lok Sabha Elections as These Giants Lose...

 News Continuous Bureau | Mumbai 

Lok Sabha Election Results:  ભારતના ચૂંટણી પંચે ગઈકાલે 18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી ( BJP ) ની આગેવાની હેઠળની NDA સતત ત્રીજી વખત સરકાર બનાવવાની તૈયારીમાં છે. કારણ કે શાસક ગઠબંધને 293 બેઠકો જીતી હતી. જો કે, બહુમતી માટે જરૂરી સંખ્યા 272 છે. જો કે, કેટલાક દિગ્ગજો માટે આ પરિણામો નિરાશાજનક રહ્યા હતા કારણ કે તેમને આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 

સ્મૃતિ ઈરાનીને ( Smriti Irani ) હારનો સામનો કરવો પડયોઃ સૌથી મોટો આંચકો ગાંધી પરિવારના ગઢ ગણાતા અમેઠીમાંથી આવ્યો હતો. જ્યાં લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બીજેપીની નેતા સ્મૃતિ ઈરાનીએ હરાવ્યા હતા. જો કે, આ મતવિસ્તારમાં 2024માં બદલાવ જોવા મળ્યો હતો. વર્તમાન સાંસદ ઈરાની કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે હારી ગયા હતા. કિશોરી લાલે કેન્દ્રીય મંત્રી ઈરાનીને 1.5 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આમાં ચૂંટણી પંચના ( ECI ) ડેટા અનુસાર, કિશોરી લાલ શર્માને 5,39,228 વોટ મળ્યા હતા. જ્યારે ઈરાનીને 3,72,032 વોટ મળ્યા હતા.

અધીર રંજન ચૌધરી ( Adhir Ranjan Chowdhury ) યુસુફ પઠાણ સામે હારી ગયા: પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પર, પ્રથમ વખતના સ્પર્ધક અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને તેમના બહેરામપુર ગઢમાં જ હરાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે 17મી લોકસભામાં કોંગ્રેસના નેતા અને છ વખત સાંસદ અધીર રંજન ચૌધરીને 85,022 મતોથી હરાવ્યા હતા.

ખેરીમાં અજય કુમાર ટેનીનો પરાજયઃ કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ખેરીમાંથી બે વખતના સાંસદ રહી ચૂકેલા અજય કુમાર ટેની સમાજવાદી પાર્ટી (SP)ના ઉત્કર્ષ વર્મા મધુર સામે 34,329 મતોથી હારી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: Foodgrain: આગોતરો અંદાજ.. અનાજનું કુલ ઉત્પાદનનો અંદાજ 3288.52 એલએમટી; છેલ્લાં 5 વર્ષના સરેરાશ અનાજ ઉત્પાદન કરતાં વધારે

રાજીવ ચંદ્રશેખરે ( Rajeev Chandrasekhar ) હાર સ્વીકારી: કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સામેની ચૂંટણી સ્પર્ધામાં હાર સ્વીકારી હતી. ચંદ્રશેખરે મીડિયાને નિવેદન આપતા કહ્યું હતું કે, હું જીતની ખૂબ નજીક આવી ગયો  છું અને મે રેકોર્ડ માર્જિન  બનાવ્યુંછે. તેમ છતાં હુંનિરાશાજનક છે કે હું આજે જીતી શક્યો નથી. તેઓ 16,000 થી થોડા વધુ મતોથી હારી ગયા.

મેનકા ગાંધીને ( Maneka Gandhi ) પણ હારનો સામનો કરવો પડ્યો: રાજ્યમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીની સુલતાનપુર બેઠક પરથી એસપી ઉમેદવાર રામભુઆલ નિષાદ સામે 43,174 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓમર અબ્દુલ્લાની ( Omar Abdullah ) હાર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ઓમર અબ્દુલ્લા કાશ્મીરના બારામુલ્લા લોકસભા મતવિસ્તારમાં અપક્ષ ઉમેદવાર શેખ અબ્દુલ રશીદ સામે હારી ગયા હતા.

અન્નામલાઈ ચૂંટણી જીતવામાં નિષ્ફળ: ભાજપના તમિલનાડુ પ્રમુખ અન્નામલાઈ કુપ્પુસામી કોઈમ્બતુરમાં DMKના ગણપતિ રાજકુમાર પી સામે 1,18,068 મતોથી હારી ગયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 543 સભ્યોની લોકસભામાં 240 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે, છેલ્લી વખત હાંસલ કરાયેલા 303ના આંકડાથી આ ઘણું દૂર છે. જેમાં અંતિમ આંકડા મુજબ, ભાજપે 240 બેઠકો જીતી હતી અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસને 99 બેઠકો મળી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More