Farmer Welfare: નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે

Farmer Welfare: પ્રધાનમંત્રી દ્વારા હસ્તાક્ષર કરાયેલી પ્રથમ ફાઇલ પીએમ કિસાન નિધિના રિલીઝ સાથે સંબંધિત છે. અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે કાર્યભાર સંભાળતા જ સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય: પ્રધાનમંત્રી. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ: પ્રધાનમંત્રી

by Hiral Meria
The first decision of the new government shows the government's commitment to farmer welfare

News Continuous Bureau | Mumbai

Farmer Welfare: ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ ( Narendra Modi ) પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે. 

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમારી સરકાર કિસાન કલ્યાણ ( PM-Kisan Samman Nidhi ) માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળ્યા પછી સહી કરવા માટેની સૌ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો ( Farmers ) અને કૃષિ ક્ષેત્ર ( Agricultural sector ) માટે વધુ કામ કરતા રહેવા માંગીએ છીએ.”

આ સમાચાર  પણ વાંચો : Silver Rate Hike: દેશમાં ચાંદીએ સારા વતળરના મામલે સોનાને પણ પાછળ મૂક્યુ, આ રીતે બની રોકાણકારોની પહેલી પસંદગી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More