G7 summit: G7 કોન્ફન્સમાં PM મોદીને મળ્યા બાદ જસ્ટિન ટ્રુડોનો સ્વર બદલાયો, આપ્યું આ મોટુ નિવેદન..

G7 summit: G-7 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના એક દિવસ પછી, તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેઓ "ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ" ને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશોના નેતાઓ છેલ્લે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મળ્યા હતા

by Hiral Meria
G7 summit Canada will work together with India... Justin Trudeau's tone changed after meeting PM Modi

News Continuous Bureau | Mumbai 

G7 summit: PM નરેન્દ્ર મોદીએ G7 સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ભારત ( India )  સાથેના સંબંધોને લઈને ટ્રુડોનો સૂર બદલાઈ ગયો છે. ટુડોએ નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત સાથે કેનેડાના ( Canada ) સંબંધો સુધરી રહ્યા છે અને બંને દેશો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. જસ્ટિન ટ્રુડોએ ઈટાલીમાં ત્રણ દિવસીય G7 સમિટના અંતિમ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી.

જ્યારે પત્રકારો દ્વારા ટુડોને ( Justin Trudeau ) વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત અને વાતચીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેનેડિયન પીએમએ નિવેદન આપતા કહ્યું હતું કે, હું આ મહત્વપૂર્ણ, સંવેદનશીલ મુદ્દાની વિગતોમાં જવાનો નથી જેના પર અમારે કાર્યવાહી કરવાની જરૂર છે. બંને દેશોએ આવનારા સમયમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. મેં હાઇલાઇટ કર્યું કે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે અને અમે તે કરીશું.

G7 summit: વડાપ્રધાન મોદીએ શુક્રવારે જસ્ટિન ટ્રુડો સાથે હાથ મિલાવતા એક તસવીર પોસ્ટ કરી હતી..

વડાપ્રધાન મોદીએ ( PM Narendra Modi ) શુક્રવારે જસ્ટિન ટ્રુડો સાથે હાથ મિલાવતા એક તસવીર પોસ્ટ કરી હતી, G7 સમિટમાં કેનેડિયન પીએમને મળ્યા હતા,  દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલી બેઠકમાં આ તેમની પહેલી મુલાકાત હતી. તેમની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન થઈ હતી. 

આ સમાચાર  પણ વાંચો : Arundhati Roy: UAPA હેઠળ અરુંધતી રોય સામે કેસ ચલાવવાની મંજૂરી સત્તાનો દુરુપયોગ છેઃ ઉદ્ધવ ઠાકરે શિવસેના..

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી, જે દરમિયાન ટ્રુડોએ પીએમ મોદીને ફરીથી ચૂંટવા બદલ અભિનંદન આપ્યા હતા, કેનેડાના વડા પ્રધાનના કાર્યાલયે શુક્રવાર સાંજની બેઠક પછી પત્રકારોએ જસ્ટિન ટ્રુડોને હરદીપ સિંહ નિજ્જરનો મુદ્દો ઉઠાવવા પર પ્રશ્ન પૂછ્યો હતો,  તો તેમણે તેને ટાળી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ટ્રુડોએ જૂન 2023માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને ભારત સાથે જોડ્યા બાદ નવી દિલ્હી અને ઓટ્ટાવા વચ્ચેના રાજદ્વારી સંબંધો સપ્ટેમ્બરમાં નવા નીચા સ્તરે પહોંચ્યા હતા.

હરદીપ સિંહ નિજ્જરને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર બે માસ્ક પહેરેલા માણસોએ ગોળી મારી હતી. આ આરોપોને કારણે બંને દેશોએ તેમના ગુપ્તચર અધિકારીઓને તેમના દેશ પરત બોલાવી લીધા હતા. રાજદ્વારી સ્ટાફ ઓછો કર્યો હતો અને વેપાર વાટાઘાટો અટકાવી દીધી હતી. નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા કરવામાં આવી રહી છે, જેણે આ કેસના સંબંધમાં ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે.  

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More