Vadhavan Port: કેન્દ્રીય કેબિનેટે મહારાષ્ટ્રમાં આ વિસ્તારમાં રૂ. 76,200 કરોડના 20 મિલિયન TEU ક્ષમતા સાથે વાધવન પોર્ટને મંજૂરી આપી.

Vadhavan Port: આ બંદર દેશના સૌથી મોટા બંદર પ્રોજેક્ટ્સમાંનું એક હશે અને આગામી ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે તેવી અપેક્ષા છે. તેને ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ તરીકે પણ વિકસાવવામાં આવશે.

by Bipin Mewada
Central Cabinet has allocated Rs. Vadhavan Port approved with 20 million TEU capacity worth Rs 76,200 crore

 News Continuous Bureau | Mumbai

Vadhavan Port: દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની ( Central Cabinet ) બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં દહાણુ નજીક વાઘવન ખાતે મુખ્ય બંદરના વિકાસને હવે સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 76,200 કરોડ રૂપિયા છે. પોર્ટ પર કન્ટેનરની ક્ષમતા 20 મિલિયન TEU હશે. આ બંદરની આસપાસના વિસ્તારમાં લગભગ 12 લાખ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે. 

આ બંદર દેશના સૌથી મોટા બંદર પ્રોજેક્ટ્સમાંનું ( Port development ) એક હશે અને આગામી ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કોરિડોર ( IMEC ) અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર (INSTC) માટે ગેટવે પોર્ટ તરીકે સેવા આપે તેવી અપેક્ષા છે. તેને ઓલ-વેધર ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ મેજર પોર્ટ ( All-weather greenfield deep draft major port ) તરીકે પણ વિકસાવવામાં આવશે.

 Vadhavan Port: આ બંદરની આસપાસ ઉત્તમ રેલ્વે અને એરપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે…

મહારાષ્ટ્રમાં ( Maharashtra ) વાધવન ખાતે એક મુખ્ય બંદર વિકસાવવા અંગેના કેબિનેટના નિર્ણયથી દેશના આર્થિક પ્રગતિને હવે વેગ મળશે અને મોટા પાયે રોજગારીની તકો પણ ઉભી થશે, એમ પીએમએ X પર એક પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું.

આ બંદરની આસપાસ ઉત્તમ રેલ્વે અને એરપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશના હાલ એક બહુ મોટા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે. ત્યાં 9 કન્ટેનર ટર્મિનલ હશે, દરેક 1000 મીટર લાંબા અને ચાર બહુહેતુક બર્થ હશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ બંદરનો પ્રથમ તબક્કો 2030 સુધીમાં અને બીજો 2040 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. આ બંદર વિશ્વના ટોચના દસ બંદરોમાં સામેલ થશે. તે મુંબઈથી લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે.

આ સમાચાર  પણ વાંચો :  Mission Raftaar: મુંબઈમાં સ્વતંત્રતા દિવસથી શરુ થશે મિશન રફ્તાર; મુંબઈ-અમદાવાદ વંદે ભારત 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે…

Vadhavan Port: આ બંદર ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે….

સરકારે કહ્યું છે કે આ બંદરના નિર્માણ માટે દરેક હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોર્ટની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તેને સ્થાનિક લોકોના લાભ અનુસાર તૈયાર કરવામાં આવશે. એક મહત્વની વાત એ છે કે આ બંદર ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ બંદર પર કોસ્ટ ગાર્ડની અલગ બર્થ પણ હશે. આ સિવાય ફ્યુઅલ બર્થ પણ હશે.

અહેવાલો અનુસાર, આ બંદર જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (MMB) દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહ્યું છે. જેમાં જેએનપીએનો હિસ્સો 74 ટકા હશે. જ્યારે એમએમબીનો હિસ્સો 26 ટકા હશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More