Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી બાદ હવે આ કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન; રાહુલ ગાંધીને ગણાવ્યા આતંકવાદી..   

Ramdas Athawale on Rahul Gandhi : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવ્યા છે.

by kalpana Verat
Ramdas Athawale on Rahul Gandhi Ramdas Athawale says Congress Rahul Gandhi himself terrorist over hindu violence remarks in lok sabha.

News Continuous Bureau | Mumbai

Ramdas Athawale on Rahul Gandhi : કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલને આતંકવાદી કહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમાં હિન્દુઓને લઈને નિવેદન આપ્યું હતું. રાહુલે કહ્યું હતું કે પોતાને હિંદુ ગણાવતા લોકો હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી આઠવલેને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે રાહુલને આતંકવાદી ગણાવ્યા.

Ramdas Athawale on Rahul Gandhi : રાહુલ ગાંધી હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, “રાહુલ ગાંધીએ હિંદુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવો ખોટું છે. રાહુલ ગાંધી હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.” રાહુલ ગાંધી ના નિવેદનને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. સોમવારે (1 જુલાઈ) જ્યારે કોંગ્રેસ સાંસદે ગૃહમાં પોતાનું નિવેદન આપ્યું ત્યારે ભારે હોબાળો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ઊભા થઈને સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર બાબત છે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ અને થાણેના આ સબવે માટે માર્ગ બન્યો સરળ, પાલિકાને આદિવાસી અને વનવસીઓ તરફ મળ્યો સકારાત્મક પ્રતિસાદ.. જાણો વિગતે..

Ramdas Athawale on Rahul Gandhi : રાહુલે શું કહ્યું, જેના પર થયો હોબાળો?

વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ધર્મો દ્વારા આપવામાં આવેલ ઉપદેશોનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી તેમણે કહ્યું કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવવાનું કામ કરે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ક્યારેય હિંસા ન કરી શકે, નફરત અને ભય ફેલાવી શકે નહીં. રાહુલનું આ નિવેદન સાંભળીને શાસક પક્ષ ખૂબ નારાજ થઈ ગયો અને પછી સૂત્રોચ્ચાર કરવા લાગ્યો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More