Manish Sisodia : મનીષ સિસોદિયા પર જામીન પર થવાની હતી સુનાવણી, અચાનક જજે લીધો એવો નિર્ણય; AAP નેતાનો લંબાઈ ગયો જેલવાસ..

Manish Sisodia : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કુમારે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને દારૂ નીતિ મામલે ભ્રષ્ટાચારના કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે.

by kalpana Verat
Manish Sisodia Supreme Court judge recuses himself from Manish Sisodia's bail plea revival hearing in Delhi excise policy case

News Continuous Bureau | Mumbai

Manish Sisodia : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા ( Manish Sisodiya ) ની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લઇ રહી નથી. આજે સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી  ( Bail plea ) પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. તે લગભગ 16 મહિનાથી જેલમાં છે અને તેમણે ઘણી વખત જામીન માટે અરજી કરી છે. 

Manish Sisodia : આ  ન્યાયાધીશ એ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા

વાસ્તવમાં,  સુપ્રીમ કોર્ટ ( Supreme court ) ના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કુમારે ( Justice Sanjay Kumar ) મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ વિરુદ્ધ મની લોન્ડરિંગ ( Money laundering case )  અને દારૂ નીતિ મામલે ભ્રષ્ટાચારના કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે. સિસોદિયાએ આ કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના, સંજય કરોલ અને સંજય કુમાર આ કેસની સુનાવણી કરવાના હતા, પરંતુ સંજય કુમારે તેમાંથી પોતાને દૂર કરી દીધા હતા.

Manish Sisodia : AAPના વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી

સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે મનીષ સિસોદિયાની અરજીની સુનાવણી અન્ય બેંચ દ્વારા કરવામાં આવશે, જેમાં જસ્ટિસ સંજય કુમાર ભાગ નહીં હોય. કોર્ટમાં કેસની સુનાવણી થતાં જ જસ્ટિસ ખન્નાએ કહ્યું, “અમારા ભાઈને થોડી સમસ્યા છે. તેઓ અંગત કારણોસર કેસની સુનાવણી કરવા માંગતા નથી.” આના પર આમ આદમી પાર્ટી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ બેન્ચને આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરી હતી.

આ સમાચાર પણ વાંચો: 16-18 જુલાઈના રોજ અષાઢી એકાદશી માટે દાદર અને વડાલામાં મુખ્ય માર્ગો બંધ રહેશે.. જાણો શું રહેશે વૈકલ્પિક માર્ગ…

Manish Sisodia : મનીષ સિસોદિયાની જામીન અરજી પર  સુનાવણી આ તારીખે થશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) બંનેએ દારૂ નીતિ મામલે મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આનો ઉલ્લેખ કરતા સિંઘવીએ કહ્યું કે બંને કેસમાં હજુ સુનાવણી શરૂ થઈ નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજી બેંચ 15 જુલાઈએ જામીન અરજી પર સુનાવણી કરશે. આ રીતે, મનીષ સિસોદિયાની જામીન અરજી પર સોમવારે (15 જુલાઈ) સુનાવણી થવાની છે.

Manish Sisodia : મનીષ સિસોદિયાની  26 ફેબ્રુઆરી ધરપકડ કરવામાં આવી  

વરિષ્ઠ આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને CBI દ્વારા 26 ફેબ્રુઆરી, 2023ના રોજ દિલ્હી લિકર પોલિસી કેસ ( Delhi excise policy case ) માં તેમની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, દારૂ નીતિ કેસની તપાસ કરી રહેલી EDએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ, 2023 ના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈની ધરપકડના બે દિવસ બાદ એટલે કે 28 ફેબ્રુઆરી, 2023ના રોજ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More