News Continuous Bureau | Mumbai
Railway Recruitment: દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંપૂર્ણ સુલભતા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને અને માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલ મિશન “અંત્યોદય” ને સાકાર કરવાની દિશા તરફ એક પગલું ભરતા, રેલ્વે મંત્રાલયે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઇટ www.rrbapply.gov.in શરૂ કરી, જેનાથી દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ સહાય વિના રેલવેની ખાલી જગ્યાઓ માટે તેમની નોકરીની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકશે.
આ વેબસાઈટ આંતરરાષ્ટ્રીય સુલભતા ધોરણો સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે અને દિવ્યાંગ વ્યક્તિઓને ( Disabled persons ) સશક્ત બનાવવા પ્રતિ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો : IRCTC Gujarat Tour Package: માત્ર આટલામાં માણો ગુજરાતનો પ્રવાસ, IRCTC લાવ્યું છે શાનદાર ટૂર પેકેજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિત આ સ્થળો કરશે કવર, જુઓ શેડ્યૂલ
આ વેબસાઈટ નું શુભારંભ મુંબઈમાં ભારતભરના તમામ રેલ્વે ભરતી બોર્ડના અધ્યક્ષોની સમીક્ષા બેઠક દરમિયાન રેલ્વે મંત્રાલયના ( Railway Ministry ) એડિશનલ મેમ્બર (સ્ટાફ) શ્રીમતિ પ્રમીલા એચ. ભાર્ગવ દ્વારા કરવામાં આવી હતી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.