News Continuous Bureau | Mumbai
Pension Court Rajkot: ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે.
પેન્શનને ( pensioners ) લગતા પ્રશ્નો આપ જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને તા. 15-12-2024 પહેલા મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.
આ સમાચાર પણ વાંચો: Riyadh Design Law Treaty: ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અધિનિયમ પર કર્યા હસ્તાક્ષર, સર્વસમાવેશક વિકાસ અને બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટે કરી પુનઃપુષ્ટી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.