Sambhal mosque row: સંભલ જામા મસ્જિદ છે કે હરિહર મંદિર?? કોર્ટ કમિશનરે સર્વે પૂર્ણ કર્યો, તપાસ અહેવાલ સુપરત કર્યો;થયા ચોંકાવનારા ખુલાસા.. .

Sambhal mosque row: સંભલ જામા મસ્જિદને હરિહર મંદિર હોવાના દાવા અંગે દાખલ કરાયેલી અરજી પર કરવામાં આવેલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. કોર્ટ કમિશનરે પણ પોતાનો રિપોર્ટ ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પર સીલબંધ પરબીડિયામાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે.

by kalpana Verat
Sambhal mosque row Survey report of Shahi Jama Masjid submitted to UP court

News Continuous Bureau | Mumbai

Sambhal mosque row: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદના સર્વેને લઈને મોટો ખુલાસો થયો છે.  મીડિયા રિપોર્ટ અનુસાર ASIના રિપોર્ટમાં અંદરની વિગતો સામે આવી છે. સર્વેના પ્રથમ દિવસે 19 નવેમ્બરના રોજ લગભગ દોઢ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી જ્યારે બીજા દિવસે 20 નવેમ્બરે લગભગ ત્રણ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સર્વે રિપોર્ટમાં કુલ સાડા ચાર કલાકની વીડિયોગ્રાફીનો ઉલ્લેખ છે. 1200 જેટલા ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે.

Sambhal mosque row: શાહી જામા મસ્જિદની અંદર બે વડના ઝાડ 

અહેવાલો અનુસાર શાહી જામા મસ્જિદની અંદર બે વડના ઝાડ છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મંદિરોમાં વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. મસ્જિદમાં એક કૂવો પણ છે જે અડધો અંદર અને અડધો બહાર છે. બહારનો ભાગ ઢાંકવામાં આવ્યો છે, જ્યારે કૂવાનો અડધો ભાગ મસ્જિદની અંદર છે. 50 થી વધુ ફૂલોના નિશાન મળી આવ્યા છે. ગુંબજનો ભાગ સાદો રાખવામાં આવ્યો છે. મસ્જિદના જૂના બાંધકામમાં ફેરફારના પુરાવા પણ મળ્યા છે. નવા બાંધકામના પુરાવા મળ્યા છે. મંદિરના આકારને પ્લાસ્ટરથી રંગવામાં આવ્યો છે. મસ્જિદની અંદર, જ્યાં એક મોટો ગુંબજ છે, તે ગુંબજ પરનું ઝુમ્મર તાર સાથે બાંધેલી સાંકળ સાથે લટકાવવામાં આવ્યું છે. આવી સાંકળો મંદિરની ઘંટડીઓમાં વપરાય છે.  

Sambhal mosque row:19 નવેમ્બરે કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

જણાવી દઈએ કે સંભલની જિલ્લા અદાલતે 19 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. તે જ દિવસે સાંજે કોર્ટ કમિશનરે તેમની ટીમ સાથે મસ્જિદનો સર્વે કર્યો હતો. બીજા દિવસે પણ સર્વેની ટીમ મસ્જિદ પહોંચી હતી અને શાંતિપૂર્ણ રીતે સર્વે પૂર્ણ કર્યો હતો. જો કે, જ્યારે ટીમ 24 નવેમ્બરના રોજ ત્રીજી વખત સર્વે માટે પહોંચી ત્યારે એક ખાસ ધર્મના લોકો ગુસ્સે થઈ ગયા અને રસ્તા પર ઉતરી આવ્યા.

  આ સમાચાર પણ વાંચો  :PM Modi: પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

Sambhal mosque row:સંભલ હિંસામાં 11 કેસ નોંધાયા, 47 લોકોની ધરપકડ

આ દરમિયાન સંભલમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ અને પ્રશાસને હિંસા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ચાર યુવકોના મોત થયા. સંભલમાં ઘણા દિવસોથી તણાવ હતો. હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. પોલીસ-પ્રશાસનની ટીમ હિંસા ભડકાવનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. હિંસા સંબંધિત મામલામાં અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. હિંસા અંગે અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More