Atmanirbhar Bharat: રક્ષા મંત્રાલયે BDL સાથે 2,960 કરોડ રૂપિયાનો MRSAM મિસાઈલ કરાર કર્યો

Atmanirbhar Bharat: રક્ષા મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે BDL સાથે રૂ. 2,960 કરોડનો કરાર કર્યો

by khushali ladva
Atmanirbhar Bharat Ministry of Defense signs Rs 2,960 crore MRSAM missile deal with BDL

Atmanirbhar Bharat: સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

MRSAM સિસ્ટમ એક પ્રમાણભૂત ફિટ છે, જે ભારતીય નૌકાદળના અનેક જહાજો પર મૂકવામાં આવે છે અને ભવિષ્યમાં સંપાદન માટે આયોજન કરાયેલા મોટાભાગના પ્લેટફોર્મ પર તેને ફીટ કરવાની યોજના છે. આ કરાર ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા અને અદ્યતન લશ્કરી ટેકનોલોજીને સ્વદેશી બનાવવાના ચાલુ પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

આ સમાચાર પણ વાંચો:  PM Modi Mahayuti : પીએમ મોદીએ મહાયુતિના ધારાસભ્યોને આપ્યો સુશાસન મંત્ર; કહ્યું- કોંગ્રેસની હાલત જુઓ, શું થયું..

Atmanirbhar Bharat: ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂકતા BDL દ્વારા ‘ખરીદો (ભારતીય)’ શ્રેણી હેઠળ મોટાભાગે સ્વદેશી સામગ્રી સાથે મિસાઇલો પૂરી પાડવામાં આવશે. આ કરાર સંરક્ષણ ઉદ્યોગમાં આશરે 3.5 લાખ માનવ દિવસની રોજગારીનું સર્જન કરશે, જેમાં વિવિધ MSMEનો પણ સમાવેશ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More