Underwater Archaeology:અંડરવોટર આર્કિયોલોજી વિંગે દ્વારકામાં પાણીની અંદર ખોદકામ કર્યું શરૂ, ASI ટીમે ગોમતી ક્રીક નજીક સંશોધન કાર્ય કર્યું

Underwater Archaeology: અંડરવોટર આર્કિયોલોજી વિંગે દ્વારકામાં સંશોધન શરૂ કર્યું

by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ત્રણ મહિલા પુરાતત્વવિદો સાથે, તે ક્ષેત્રમાં મહિલા શક્તિનું એક સમાવિષ્ટ પ્રદર્શન છે
  • આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ દ્વારકાના પાણીમાં અંડરવોટર એક્સપ્લોરેશન શરૂ કર્યું
Underwater Archaeology: આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના પાંચ પુરાતત્ત્વવિદોની ટીમે એડિશનલ ડાયરેક્ટર જનરલ (આર્કિયોલોજી) પ્રો.આલોક ત્રિપાઠીની આગેવાની હેઠળ દ્વારકાના દરિયાકિનારે પાણીની અંદર ખોદકામ શરૂ કર્યું છે. આ ટીમમાં એચ.કે.નાયક, ડિરેક્ટર (ખોદકામ અને સંશોધન), સહાયક અધિક્ષક પુરાતત્ત્વવિદ્, સુશ્રી પૂનમ વિંદ અને રાજકુમારી બાર્બિના સહિતની ટીમે પ્રારંભિક તપાસ માટે ગોમતી ક્રીક નજીકના વિસ્તારની પસંદગી કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WAGU.jpg

Underwater Archaeology: એ.એસ.આઈ.માં પ્રથમ વખત, આ ટીમમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલા પુરાતત્ત્વવિદો અને સૌથી વધુ સંખ્યામાં પુરાતત્ત્વવિદોનો સમાવેશ થાય છે, જેઓ પાણીની અંદર તપાસમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Tesla India: એલોન મસ્કનું સપનું થશે પૂરું. ભારતમાં થશે TESLAની એન્ટ્રી; આ બે શહેરોમાં ખુલશે શૉરૂમ.. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025PAA.jpg

આ પાણીની અંદરનું સંશોધન એએસઆઈની નવેસરથી શરૂ થયેલી અંડરવોટર આર્કિયોલોજી વિંગ (યુએડબલ્યુ)નો એક ભાગ છે, જેને તાજેતરમાં દ્વારકા અને બેટ દ્વારકા (ગુજરાત)માં ઓફશોર સરવે અને તપાસ હાથ ધરવા માટે પુનર્જીવિત કરવામાં આવી છે. યુએડબલ્યુ ૧૯૮૦ ના દાયકાથી પાણીની અંદરના પુરાતત્ત્વીય સંશોધનમાં મોખરે છે. 2001થી, આ પાંખ બંગારામ ટાપુ (લક્ષદ્વીપ), મહાબલિપુરમ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત), લોકતક તળાવ (મણિપુર) અને એલિફન્ટા ટાપુ (મહારાષ્ટ્ર) જેવા સ્થળોએ સંશોધન કરી રહી છે. યુએડબલ્યુના પુરાતત્ત્વવિદોએ પાણીની અંદરના સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને સંરક્ષણ માટે ભારતીય નૌકાદળ (આઇએન) અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે પણ સહયોગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો:  PM Awas Yojana: સુરતમાં પીએમ આવાસ યોજનામાં ૬ વર્ષ બાદ નવા હાઉસ સર્વેની શરૂઆત થઇ, કુલ આટલા હજાર નવા લાભાર્થીઓ નોંધાયા

Underwater Archaeology: અગાઉ અંડરવોટર આર્કિયોલોજી વિંગે દ્વારકામાં 2005થી 2007 દરમિયાન ઓફશોર અને ઓનશોર ખોદકામ કર્યું હતું. નીચા ભરતી દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી જ્યાં શિલ્પો અને પથ્થરના લંગર મળી આવ્યા હતા. તે સંશોધનોના આધારે, પાણીની અંદર ખોદકામ કરવામાં આવ્યું હતું. હાલની પાણીની તપાસ એએસઆઈના ભારતના સમૃદ્ધ અંડરવોટર સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેના મિશનમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More