News Continuous Bureau | Mumbai
Ahmedabad Division :
રેલવે સુરક્ષા બળ (RPF), અમદાવાદ મંડળ રેલવે સંકુલોમાં સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા, યાત્રીઓની સહાયતા સુનિશ્ચિત કરવા તથા અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સતત સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. 16 જૂન 2025 થી 25 જૂન 2025 સુધી 10 દિવસોમાં આરપીએફ દ્વારા અનેક મહત્વપૂર્ણ કામો પાર પાડવામાં આવ્યા, જેમાં યાત્રીઓની સહાયતા, માનવ તસ્કરી પર નિયંત્રણ, ગેરકાયદેસર વસ્તુઓની જપ્તી તથા યાત્રીઓની સુરક્ષાથી જોડાયેલા વિવિધ અભિયાન સામેલ છે. મુખ્ય ઉપલબ્ધિઓ આ મુજબ છે :
1. ઑપરેશન ‘નન્હે ફરિશ્તે’: – પાલનપુર સ્ટેશનથી બિનવારસી અને અસહાય સ્થિતિમાં મળેલા 3 સગીર બાળકોને RPF દ્વારા સુરક્ષિત રૂપે રેસ્ક્યુ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટિ (CWC) તથા જીઆરપીને સોંપવામાં આવ્યા. આ પ્રયત્ન ફક્ત બાળ સંરક્ષણ કાયદાનું અનુપાલન જ દર્શાવતું નથી પરંતુ માનવીય સંવેદનાઓ પ્રત્યે RPF ની જાગૃતિને પણ દર્શાવે છે.
2. ઑપરેશન ‘સતર્ક’ (ગેરકાયદેસરના દારૂ વિરૂદ્ધ અભિયાન):- ગેરકાયદે દારૂની તસ્કરીને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન હેઠળ RPF દ્વારા કુલ 03 મામલાઓમાં ગેરકાયદેસરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. સંબંધિત આરોપીઓને કાયદાકીય કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
3. ઑપરેશન ‘નાર્કોસ’:- અમદાવાદ સ્ટેશન પર અમદાવાદ-પુરી એક્સપ્રેસમાં ચેકિંગ દરમિયાન બીનવારસી બેગમાંથી લગભગ 15 કિલો ગાંજો (અંદાજિત મૂલ્ય ₹1,51,100) જપ્ત કરવામાં આવ્યો. આ સંબંધમાં GRP દ્વારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કેસ નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
4. ઑપરેશન ‘અમાનત’:- યાત્રા દરમિયાન યાત્રીઓ દ્વારા છોડી દેવાયેલા અથવા ગુમ થયેલા ₹2 લાખથી વધુના મૂલ્યની કિમતી વસ્તુઓને આરપીએફ દ્વારા ચકાસણી કર્યા પછી સંબંધિત યાત્રીઓને સુરક્ષિતરૂપે સોંપવામાં આવી.
5. ઑપરેશન ‘યાત્રી સુરક્ષા’:- યાત્રીઓના માલસામાનની ચોરીથી જોડાયેલા મામલાઓમાં RPF દ્વારા 05 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે GRP ને સોંપવામાં આવ્યા.
6. મિશન જીવન રક્ષા:- 20 જૂન 2025 ના રોજ પ્લેટફોર્મ નંબર 03 પર ફરજરત RPF સ્ટાફ ઈનસાર ખાને ટ્રેન નંબર 19217 (સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) ના S/3 કોચથી ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરી રહેલ મહિલા યાત્રીને પડવાથી બચાવીને તેમનો જીવ બચાવ્યો. આ ત્વરિત અને સાહસી કામ ‘મિશન જીવન રક્ષા’ નું જીવંત ઉદાહરણ છે.
આ સમાચાર પણ વાંચો : Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..
આ અભિયાનો અને કામો મારફતે RPF, અમદાવાદ મંડળે એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફક્ત રેલવે સંકુલોની સુરક્ષા માટે જ પ્રતિબદ્ધ નથી, પરંતુ યાત્રીઓના જીવન, અધિકારો અને સુવિધાઓની રક્ષા પ્રત્યે પણ સમાનરૂપે સંવેદનશીલ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.