Sawan 2025: શ્રાવણ ના પવિત્ર મહિનામાં કરો ચાંદીના નંદી ની સ્થાપના, મળશે શુભ ફળ અને શિવજીની કૃપા

Sawan 2025: શ્રાવણ મહિના માં ચાંદીના નંદી સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે, તો ચાલો જાણીયે તેને સ્થાપિત કરવાના નિયમો

by Zalak Parikh
Installing Silver Nandi in Sawan Brings Blessings Know the Rules

News Continuous Bureau | Mumbai 

Sawan 2025: શ્રાવણ મહિનો ભગવાન શિવ ની આરાધનાનો પાવન સમય છે. આ સમયમાં ચાંદીના નંદી  ની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અનુસાર, નંદી ભગવાન શિવના ભક્ત અને સવારી છે, તેથી તેમની મૂર્તિ પૂજા સ્થળે યોગ્ય અંતરે રાખવી જોઈએ. આથી ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

નંદીજીની મૂર્તિ સ્થાપિત કરતી વખતે રાખો આ નિયમો

શાસ્ત્રો અનુસાર, નંદીજીની મૂર્તિ શિવજીની મૂર્તિથી થોડી દૂર રાખવી જોઈએ. શિવ મંદિર માં પણ નંદીજી મુખ્ય દ્વાર પાસે હોય છે. ઘરમાં પૂજા સ્થળે મૂર્તિ રાખતી વખતે ગંગાજળ થી સ્થાન પવિત્ર કરીને મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. નંદીજીને શિવજી ના સમકક્ષ સ્થાન ન આપવું જોઈએ.

ઈશાન કોણમાં મૂર્તિ સ્થાપિત કરવી શ્રેષ્ઠ

ઘરના ઈશાન કોણ માં નંદીજીની મૂર્તિ સ્થાપિત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ચાંદીના નંદી સ્થાપિત કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત થાય છે અને શિવજીની કૃપા સતત રહે છે.

આ સમાચાર પણ વાંચો : Hariyali Amavasya 2025: 25 જુલાઈ ના રોજ છે હરિયાળી અમાવસ્યા, તે દિવસે કરો આ વસ્તુઓનું દાન મળશે પિતૃદોષ અને ગ્રહદોષથી મુક્તિ

નંદીજીની સ્થાપનાથી મળે છે આ લાભો

  1. નંદીજીની મૂર્તિ ઘરમાં હોવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
  2. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
  3. નંદી શ્રમ, ભક્તિ અને દૃઢતાનું પ્રતિક છે, જે ગુણો પરિવારના સભ્યોમાં આવે છે.
  4. આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More