Janmashtami 2025: જન્માષ્ટમી પર કરો શ્રી કૃષ્ણના ૧૦૮ નામોનો જાપ, તમને પણ થશે શાંતિ નો અનુભવ

Janmashtami 2025: શાસ્ત્રોમાં માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના ૧૦૮ નામોનો જાપ કરવાથી દુઃખોનો નાશ થાય છે અને ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે

by Zalak Parikh
Chant These 108 Names of Lord Krishna on Janmashtami for Peace and Prosperity

News Continuous Bureau | Mumbai

Janmashtami 2025: આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટે ઉજવાશે. ભાદરવા માસની કૃષ્ણ અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે ભક્તો લાડુ ગોપાળને સ્નાન કરાવીને શણગાર કરે છે, ઝૂલાવે છે અને ભોગ ધરાવે છે. સાથે સાથે શ્રી કૃષ્ણના ૧૦૮ પાવન નામોનો જાપ પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ નામોનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

 

શ્રી કૃષ્ણના ૧૦૮ પાવન નામોનો મહિમા

શાસ્ત્રો અનુસાર શ્રી કૃષ્ણના ૧૦૮ નામોનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ભક્તિમાં એકાગ્રતા વધે છે. આ નામો ભગવાનના વિવિધ સ્વરૂપો, ગુણો અને લીલાઓને દર્શાવે છે. જેમ કે: કૃષ્ણ, વાસુદેવ, યમુનાવેગ સંહાર, દામોદર, ગોપાલ, પરબ્રહ્મ, જગન્નાથ, પાર્થસારથી વગેરે. દરેક નામ એક અનોખી શક્તિ અને આશીર્વાદ આપે છે.

આ સમાચાર પણ વાંચો :  Janmashtami 2025: જન્માષ્ટમી પર બની રહ્યો છે બુધાદિત્ય યોગ,જાણો ક્યારથી શરૂ થશે અષ્ટમી તિથિ

જન્માષ્ટમીના દિવસે કેવી રીતે કરવો જાપ?

જાપ માટે સવારે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર પહેરો. લાડુ ગોપાળને સ્નાન કરાવીને શણગાર કરો. પછી ધૂપ-દીપ સાથે પૂજા કરીને શ્રી કૃષ્ણના ૧૦૮ નામોનો જાપ કરો. દરેક નામ સાથે ભગવાનને નમન કરો. આ જાપ તમે માળા વડે પણ કરી શકો છો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More