GST: શું GST માં ફેરફારથી સોનું સસ્તું થશે કે મોંઘુ? વેપારીઓ ને સતાવી રહી છે આ ચિંતા,હવે સરકાર પર સૌની નજર.

GST: વેપારીઓમાં એવી ચિંતા છે કે સરકાર સોના પર GST દરને હાલના ૩% થી વધારીને ૫% ન કરી દે. જો આમ થશે તો સામાન્ય માણસના બજેટ પર સીધી અસર પડશે.

by Dr. Mayur Parikh
GST શું GST માં ફેરફારથી સોનું સસ્તું થશે કે મોંઘુ વેપારીઓ ને સતાવી રહી છે આ ચિંતા

News Continuous Bureau | Mumbai

ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ GST માં સુધારાની વાત કરી હતી. ત્યાર બાદ તરત જ નાણા મંત્રાલયે GST ના હાલના ચાર સ્લેબને ઘટાડીને બે કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી. આ દરમિયાન, હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં GST કાઉન્સિલની ૫૬મી બેઠક યોજાવાની છે. જેમાં ઘણા ઉત્પાદનો અને સેવાઓના ભાવમાં ઘટાડો થવાની આશા છે. મંત્રાલયના નવા પ્રસ્તાવ મુજબ, નવા GST સ્ટ્રક્ચરમાં ફક્ત ૫% અને ૧૮% ના બે સ્લેબ રાખવામાં આવ્યા છે.

સોના પર GST દર ઘટશે કે વધશે?

હાલમાં સોના પર ૩% ના દરે GST લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોના પર લાગતા GST માં ૦.૫% થી ૧% નો ઘટાડો થઈ શકે છે. જોકે, વેપારીઓમાં એવી ચિંતા છે કે સરકાર આ દરને વધારીને ૫% ન કરી દે. જો આવું થશે તો સામાન્ય માણસના બજેટ પર સીધી અસર પડશે. તેથી, વેપારીઓ માંગ કરી રહ્યા છે કે સોના પર GST વધારવાને બદલે ઘટાડવામાં આવે. જો સોના પર GST દર ઓછો થશે, તો સોનું સસ્તું થશે અને તહેવારોની સિઝનમાં તેની માંગમાં પણ વધારો જોવા મળી શકે છે.

GST વધે તો કેટલો વધારાનો બોજ?

જો સોના પર GST ૧% ઘટાડવામાં આવે, તો તે ૩% થી ઘટીને ૨% થઈ જશે. આવા કિસ્સામાં, જો તમે ₹૧,૦૦,૦૦૦ નું સોનું ખરીદો છો, તો GST લગભગ ₹૨,૦૦૦ થશે. એટલે કે, તમને ₹૧,૦૦૦ ની બચત થશે. બીજી તરફ, જો સરકાર સોના પર GST દર વધારીને ૫% કરે છે, તો ₹૧ લાખની ખરીદી પર તમારે GST તરીકે ₹૫,૦૦૦ ચૂકવવા પડશે, જે હાલના ૩% ના દર કરતા ₹૨,૦૦૦ વધુ હશે. આ વધારાનો બોજ ગ્રાહકોને પરેશાન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Cyber ​​Fraud: સાયબર ઠગોએ મુંબઈકરો ને લગાવ્યો અધધ આટલા કરોડ નો ચૂનો, ફડણવીસની પોલીસ નિષ્ફળ,માત્ર અઢી ટકા જ રિકવર કરી શકી.

સોનાના ભાવમાં ઉછાળો અને GST

સોનાના દાગીના, બાર, સિક્કા વગેરે પર GST લાગુ પડે છે. ૨૦૧૬માં ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે સોના પર ૩% GST લગાવવામાં આવ્યો હતો. આ પહેલા દાગીના પર ૧% વેટ લાગતો હતો. છેલ્લા છ મહિનામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેનાથી લોકો પહેલેથી જ પરેશાન છે. જો GST નો દર ઘટવાને બદલે વધે છે, તો સામાન્ય માણસ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More