IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું

IND vs PAK Asia Cup: એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટરોએ મેચ પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો. કોચ ગૌતમ ગંભીરે આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે આ પહેલગામ આતંકી હુમલા ના વિરોધમાં કરવામાં આવ્યું હતું.

by Zalak Parikh
IND vs PAK Asia Cup No Handshake, Dressings Room Door Shut; 5 Times Team India Insulted Pakistan

 News Continuous Bureau | Mumbai 

IND vs PAK Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા હાઇ વોલ્ટેજ હોય છે. ક્રિકેટની દુનિયામાં આ મુકાબલો માત્ર એક રમત કરતાં વધુ કંઈક છે. એશિયા કપ 2025માં રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. આ જીત માત્ર મેદાન પર નહોતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સાથે જે રીતે વર્તન કર્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. મેચ દરમિયાન અને પછી થયેલી કેટલીક ઘટનાઓથી સ્પષ્ટ થયું કે ભારતીય ખેલાડીઓ અને મેનેજમેન્ટ પાકિસ્તાન પ્રત્યે કઠોર વલણ અપનાવી રહ્યા છે.

પાંચ એવા પ્રસંગો જ્યારે ભારતે પાકિસ્તાનને ‘નીચું’ દેખાડ્યું

પાકિસ્તાન સામેની આ જીત ભારત માટે યાદગાર બની રહી. મેચ જીત્યા બાદ ભારતીય ટીમે એક અલગ જ સંદેશ આપ્યો. પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને અને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરીને ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો હતો. અહીં એવી પાંચ ઘટનાઓનો ઉલ્લેખ છે જ્યારે ભારતે પાકિસ્તાનને નીચું પાડ્યું:

મેચ દરમિયાન વાતચીત ન કરી અને સીધા ડ્રેસિંગ રૂમમાં ગયા

  • ટોસ દરમિયાન હાથ ન મિલાવ્યો: રવિવારે થયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા વચ્ચે હાથ મિલાવવાની પરંપરા જોવા ન મળી. સામાન્ય રીતે ટોસ પહેલા અને પછી બંને ટીમના કેપ્ટન હાથ મિલાવે છે.
  • મેદાન પર વાતચીતનો અભાવ: ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાની ભાષા સમજે છે, જેના કારણે અન્ય મેચોની સરખામણીમાં તેમની વચ્ચે વાતચીત વધુ થાય છે. પરંતુ આ મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જાળવી રાખ્યું અને તેમની સાથે વધારે વાતચીત ન કરી.
  • મેચ જીતતા જ મેદાન છોડ્યું: 16મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે છગ્ગો મારીને ભારતને જીત અપાવી. આ જીત પછી તરત જ સૂર્યકુમાર અને શિવમ દુબે મેદાન પર ન રોકાયા અને સીધા ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા. જ્યારે સામાન્ય રીતે મેચ જીત્યા પછી વિજેતા ટીમ વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે. પાકિસ્તાની ખેલાડીઓ તેમને જોતા જ રહી ગયા.

 


 

 ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી

  • હાથ ન મિલાવીને દરવાજો બંધ કર્યો: ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં હાજર તમામ ભારતીય ખેલાડીઓએ તાળીઓ પાડીને સૂર્યકુમાર અને શિવમનું અભિવાદન કર્યું. પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર હાથ મિલાવવા માટે રાહ જોતા હતા, પરંતુ ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ગયા અને તરત જ દરવાજો બંધ કરી દીધો, જેનાથી પાકિસ્તાનનો આશાભંગ થયો.
  • પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ: આ ઘટનાઓ પર હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ વર્તન પાછળ એક ખાસ કારણ હતું. તેમણે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો અને “ઓપરેશન સિંદૂર” માટે ભારતીય સશસ્ત્ર દળોનો આભાર માન્યો. ગંભીરે કહ્યું કે, “એક ટીમ તરીકે, અમે પહેલગામ આતંકી હુમલામાં પીડિત તમામ પરિવારો પ્રત્યે અમારી એકતા દર્શાવવા માગતા હતા.”

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More