News Continuous Bureau | Mumbai
Chhaava Shooting: બોલીવૂડ એક્ટર વિકી કૌશલ ની ફિલ્મ ‘છાવા’ માત્ર બોક્સ ઓફિસ પર હિટ રહી નથી, પણ શૂટિંગ દરમિયાન થયેલી બે અજીબ ઘટનાઓને કારણે વિકી કૌશલને સંભાજી મહારાજ સાથે એક આધ્યાત્મિક જોડાણ પણ અનુભવાયું હતું. એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલએ જણાવ્યું હતું કે, એક સીન દરમિયાન તેમને નર્વ ઇન્જરી થઈ હતી, અને એ જ દિવસ ઇતિહાસમાં સંભાજી મહારાજને ઔરંગઝેબ દ્વારા ટોર્ચર કરવામાં આવ્યો હતો
આ સમાચાર પણ વાંચો : Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
ટોર્ચર સીન દરમિયાન નર્વ ઇન્જરી, ઇતિહાસ સાથે અજીબ સંયોગ
ફિલ્મના એક સીનમાં ઔરંગઝેબ સંભાજી મહારાજને બંધક બનાવે છે અને રાતભર ટોર્ચર કરે છે. આ સીન ના શૂટિંગ દરમિયાન વિકીના હાથમાં નર્વ ઇન્જરી થઈ હતી. તેના હાથ નીચે જતાં નહોતા અને આ ઘટના એ જ દિવસે બની હતી, જે દિવસે ઇતિહાસમાં સંભાજી મહારાજને ટોર્ચર કરવામાં આવ્યા હતા. વિકી કૌશલએ કહ્યું કે, “મને લાગ્યું કે હું માત્ર અભિનય નથી કરી રહ્યો, પણ સંભાજી મહારાજના દુઃખને અનુભવી રહ્યો છું”
View this post on Instagram
ફિલ્મમાં સંભાજી મહારાજને રાજગાદી પર બેસાડવાનો સીન પણ એ જ દિવસે શૂટ થયો હતો, જે દિવસે ઇતિહાસમાં તેમને ગાદી સોંપવામાં આવી હતી. આ સીન દરમિયાન વિકી કૌશલ ખૂબ ભાવુક થઈ ગયો હતો. અને તે સીન તેને ત્રણ વાર શૂટ કરવો પડ્યો. વિકી કૌશલએ કહ્યું કે, “મને એ ભાર લાગ્યો જે સંભાજી મહારાજે તેમના પિતાના અવસાન પછી અનુભવ્યો હશે”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)