IND vs PAK: ‘નો હેન્ડશેક’ પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું

IND vs PAK: એશિયા કપમાં ભારત સામેની હાર બાદ પાકિસ્તાન ટીમે ભારતીય ખેલાડીઓના વર્તન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. મેચ બાદ પાકિસ્તાનના કોચે પણ નિરાશા વ્યક્ત કરી હતી, જ્યારે ભારતીય કેપ્ટને આ વર્તનનું કારણ સ્પષ્ટ કર્યું.

by Akash Rajbhar
'નો હેન્ડશેક' પર બોખલાયું પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે લીધું આ પગલું

News Continuous Bureau | Mumbai

IND vs PAK: ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાન સામે એક યાદગાર જીત નોંધાવી. પરંતુ ભારતની આ જીતથી પાકિસ્તાન ભારે નારાજ થયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ભારતીય ટીમ પર ખેલ ભાવના વિરુદ્ધ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે મેચ રેફરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને જોરદાર જીત મેળવી હતી. આ મેચમાં ‘નો હેન્ડશેક’નો મામલો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

પાકિસ્તાને ભારતીય ટીમ પર કેમ ફરિયાદ કરી?

IND vs PAK: મેચ બાદ પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને જણાવ્યું હતું કે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીની સેરેમનીમાં ગયા નહોતા કારણ કે ભારતીય ટીમનું વર્તન નિરાશાજનક હતું. હેસને કહ્યું કે, “અમે મેચના અંતે હાથ મિલાવવા અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરવા માટે ઉત્સાહિત હતા, પરંતુ આવું બન્યું નહીં.” આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમ દ્વારા કરવામાં આવેલા અયોગ્ય વર્તન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. PCBએ કહ્યું કે મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે પણ સત્તાવાર વિરોધ કર્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનને ટોસ સમયે હાથ ન મિલાવવાની વિનંતી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ

ટોસથી લઈને મેચ પૂરી થવા સુધી શું થયું?

IND vs PAK: મેચ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે અને મેચ પૂરી થયા બાદ પણ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને નજરઅંદાજ કર્યા હતા અને તેમની સાથે હાથ મિલાવ્યા નહોતા. મેચ પછીના પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે આ વર્તનનું કારણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, “અમારી સરકાર અને BCCI આ મુદ્દે સંપૂર્ણ રીતે એકમત હતા. અમે નિર્ણય લીધો કે અમે માત્ર રમવા આવ્યા છીએ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીશું.” સૂર્યાએ મેચ પછી પુરસ્કાર વિતરણ સમારોહમાં આ જીતને ‘દેશ માટે એક શાનદાર ભેટ’ ગણાવી હતી અને આ જીત પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારો અને સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી.

આ મેચમાં ભારતનો કેવો રહ્યો દેખાવ?

મેચમાં, ભારતના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 127-9નો સ્કોર બનાવી શકી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ અંતમાં આવીને 16 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેષ્ઠ બોલર કુલદીપ યાદવ રહ્યા, જેમણે 3 વિકેટ લીધી અને માત્ર 19 રન આપ્યા. અક્ષર પટેલે પણ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતે 128 રનના લક્ષ્યનો પીછો કરતા અભિષેક શર્માના 31 રન, કેપ્ટન સૂર્યકુમાર યાદવના 47 રન અને તિલક વર્માના 31 રનના બળે 7 વિકેટે શાનદાર જીત મેળવી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More