Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો

NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા ગૌરી ખાન અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજીની સ્વીકાર્યતા અંગે દિલ્હી હાઈકોર્ટે સવાલો કર્યા છે

by Dr. Mayur Parikh
Sameer Wankhede દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ

News Continuous Bureau | Mumbai
Sameer Wankhede દિલ્હી હાઈકોર્ટે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના મુકદ્દમાની અરજીની સ્વીકાર્યતા પર સવાલો ઉઠાવ્યા છે. સમીર વાનખેડેએ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે આ કંપનીઓએ તેમની સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં કથિત રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ આર્યન ખાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : OpenAI: એ લોન્ચ કર્યું ફીચર,જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ

કોર્ટે સંશોધન માટે આપ્યો સમય

મીડિયા રિપોર્ટ મુજબ ન્યાયમૂર્તિ પુરુષેન્દ્ર કુમાર કૌરવે વાનખેડેના વકીલને સવાલ કર્યો કે આ અરજી દિલ્હીમાં કેવી રીતે સ્વીકાર્ય છે? તેના જવાબમાં વાનખેડેના વકીલ એ કહ્યું કે આ વેબ સિરીઝ દિલ્હી સહિત તમામ શહેરો માટે છે અને અધિકારીને અહીં બદનામ કરવામાં આવ્યા છે.જોકે, વકીલે કહ્યું કે તેઓ તેમની અરજીમાં સંશોધન (Amendment) કરશે. ત્યારબાદ કોર્ટે તેમને ફરીથી સાચી અરજી દાખલ કરવા માટે સમય આપ્યો છે, જેના પછી જ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. કોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી કેસની સુનાવણી ટળી ગઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More