Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ કરતા પહેલા જાણી લો, નહીંતર થશે પરેશાની

અટલ પેન્શન યોજનામાં (APY) ફેરફારો કરવામાં આવ્યા છે. આ હેઠળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા બદલવામાં આવી છે. હવેથી માત્ર નવા ફોર્મથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે આ બાબતોની જાણકારી રાખો.

by Dr. Mayur Parikh
Atal Pension Yojana અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ

News Continuous Bureau | Mumbai 

Atal Pension Yojana ભારત સરકારની અટલ પેન્શન યોજના (APY) માં ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફાર હેઠળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા બદલવામાં આવી છે. ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ઓક્ટોબર 2025 થી અટલ પેન્શન યોજના માટે જૂના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. નવું ખાતું ખોલાવવા માટે, હવેથી માત્ર ફેરફાર કરેલું ફોર્મ જ સ્વીકારવામાં આવશે. આ ફેરફાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) ની માર્ગદર્શિકા હેઠળ લેવામાં આવ્યો છે. જારી કરાયેલા નોટિફિકેશનમાં માહિતી આપવામાં આવી છે કે આ ફેરફાર પેન્શન સંબંધિત સેવાઓને વધુ સારી બનાવવા માટે લેવામાં આવ્યો છે.

શું છે નવા નિયમો?

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવેથી અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે નવા ફોર્મમાં અરજી કરવી પડશે. ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ફોર્મમાં અરજદારોએ પોતાની વિદેશી નાગરિકતાની માહિતી આપવી પડશે. એટલે કે, તેમને જણાવવું પડશે કે, તેઓ અન્ય કોઈ દેશના નાગરિક તો નથી ને? સરકારના આ ફેરફાર પાછળ ભારતીય નાગરિકોને APY નો લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. આ સાથે જ, અટલ પેન્શન યોજના માટે પોસ્ટ ઓફિસના માધ્યમથી બચત ખાતા ખોલવામાં આવશે. ડાક વિભાગ દ્વારા દેશભરની પોસ્ટ ઓફિસોને કહેવામાં આવ્યું છે કે, હવેથી તેઓ અટલ પેન્શન યોજના માટે નવા ફોર્મમાં અરજીઓ સ્વીકારે. આ સાથે જ ગ્રાહકોને આ ફેરફારની જાણકારી આપે અને નોટિસ બોર્ડ પર તેનાથી સંબંધિત માહિતી ફરજિયાતપણે લખે.

આ સમાચાર પણ વાંચો : Sameer Wankhede: દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ ખાન-ગૌરી ખાનની રેડ ચિલીઝને મોકલ્યું સમન્સ, નેટફ્લિક્સ વિરુદ્ધ પણ નોટિસ જારી, જાણો સમગ્ર મામલો

અટલ પેન્શન યોજના વિશે જાણો

અટલ પેન્શન યોજના ભારત સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ અસંગઠિત કર્મચારીઓને પેન્શનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એવા કર્મચારીઓ જેમને પેન્શનની યોજના મળતી નથી, વેપારીઓ, ગીગ વર્કર્સ આ યોજનાનો લાભ લઈને પેન્શન મેળવી શકે છે. 18 થી 40 વર્ષની ઉંમર મર્યાદા વચ્ચેનો કોઈ પણ ભારતીય નાગરિક આ યોજના સાથે જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર પૂરી થવા પર તેને ₹1,000 થી ₹5,000 ની વચ્ચેની પેન્શન રકમ આપવામાં આવે છે. આ રકમ જમા કરવામાં આવેલા પૈસા પર નિર્ભર હોય છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More