News Continuous Bureau | Mumbai
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ટીવી જગતના બે સૌથી લોકપ્રિય શો ‘કહાની ઘર ઘર કી’ અને ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી’ હવે એકબીજાને જોડતા જોવા મળશે. ‘કહાની ઘર ઘર કી’ના ઓમ (કિરણ કરમરકર) અને પાર્વતી (સાક્ષી તંવર) ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી 2’માં કેમિયો રોલમાં દેખાશે. મીડિયા રિપોર્ટ અનુસાર, મિહિર એક અગ્રવાલ દંપતીને પોતાના ઘરમાં બોલાવે છે, જે પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો ધરાવે છે. આ દંપતી એટલે કે ઓમ અને પાર્વતી શાંતિ નિકેતનમાં આવશે અને કેટલાક એપિસોડ્સમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Lag Ja Gale: ટાઈગર શ્રોફ અને જાહ્નવી કપૂર ની ફિલ્મ લગ જા ગલે માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, ફિલ્મ માં જોવા મળશે રોમેન્ટિક એક્શન ડ્રામા
શોમાં નવા ટ્વિસ્ટ સાથે જોડાશે ઓમ-પાર્વતી
આ રીયૂનિયન દર્શકો માટે એક નોસ્ટેલ્જિક પળ બની રહેશે. ઓમ અને પાર્વતીની એન્ટ્રી શોમાં એક મહત્વપૂર્ણ પ્રોપર્ટી વિવાદ સાથે જોડાયેલી છે. મિહિર તેમને ઘરમાં બોલાવે છે અને આથી શાંતિ નિકેતનમાં નવા તણાવ અને ઘટનાઓ શરૂ થાય છે.શોમાં તુલસી અને રણવિજય વચ્ચે તણાવ જોવા મળે છે. તુલસી પોતાની દીકરી પરી ની ખુશીઓ માટે ચિંતિત છે અને રણવિજય પર શંકા વ્યક્ત કરે છે. બીજી તરફ, નોઇના રણવિજયની ઈમાનદારીથી પ્રભાવિત થઈને તેને નોકરી ઓફર કરે છે.
View this post on Instagram
એકતા કપૂર નો આ શો દર અઠવાડિયે TRP લિસ્ટમાં ટોચના 5 શો વચ્ચે રહે છે. તુલસી અને મિહિરના બાળકોની આસપાસ ઘૂમતી કહાનીમાં હવે ઓમ-પાર્વતીની એન્ટ્રીથી વધુ રસપ્રદ બનાવાશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)